બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Suicide of a policeman in Ahmedabad
ADVERTISEMENT
અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે પત્ની અને પોતાની 3 વર્ષની દીકરી સાથે ગોતા વિસ્તારમાં આવેલી દિવા હાઈટ્સ નામની બિલ્ડિંગના 12માં માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. પોલીસકર્મીના સામૂહિક આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ સોલા પોલીસે આપઘાત પાછળના ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
મિત્રને કર્યો હતો છેલ્લો મેસેજ
કુલદીપસિંહે આપઘાત કરતાં પહેલાં તેમના મિત્રો, પરિવારજનોને સંવેદનશીલ સલાહ-સૂચનો આપ્યા હતા. આપઘાત કરનારા આ પોલીસકર્મીએ મિત્રોને યાદ કરી તેમની વાતોને મેસેજમાં વાગોળી હતી. આ ઉપરાંત બાકી રહેલા 1000 રૂપિયા ઘરેથી લઈ જવા જણાવ્યું હતું.
ADVERTISEMENT

છેલ્લા મેસેજમાં ગ્રેડ-પેનો ઉલ્લેખ
ADVERTISEMENT
કુલદીપસિંહે મિત્રને કરેલા છેલ્લા મેસેજમાં ગ્રેડ-પેનો ઉલ્લેખ કર્યો હતો. કુલદીપસિંહે IPS અધિકારીઓના લીધે પગાર વધતો ન હોવાનો મેસેજમાં ઉલ્લેખ કર્યો હતો. ગ્રેડ-પેનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું હતું કે, પોલીસનો ગ્રેડ પે વધે એ મારી અંતિમ ઈચ્છા છે અને આઈપીએસ અધિકારીઓ જ પગાર વધવા દેતા નથી.

ADVERTISEMENT
પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે લખ્યું કે, આઈપીએસ અધિકારીઓ પૈસા બહુ ખાય છે. તેમણે મેસેજમાં માતા-પિતાને સંબોધીને પણ મેસેજ કર્યા હતા. તેમની સૂસાઈડ નોટ બધે વાયરલ થઈ છે. હાલ સોલા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે, પોલીસકર્મી કુલદીપસિંહના સાસરિયાઓ તરફથી કોઈ દબાણ કે અન્ય પરેશાની હતી કેમ. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.