ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાય એવું નથી. જો ગાયો અને ખેડૂત દુઃખી હશે તો દેશ ખુશ નહીં રહે.... આ દ્રઢપણે માનવું છે દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું. ગોપાલભાઈ જે રીતે ગાયોને પ્રેમ કરે છે અને માતાની જેમ જે સારસંભાળ રાખે છે તે ખરેખર શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. મુંબઈમાં પોતાનો કરોડોનો બિઝનેસનો છોડીને ગોપાલ સુતરિયાએ અમદાવાદની વાટ પકડી માત્ર ગૌસેવા કરવા અને આ ગૌસેવાથી એક પ્રકારે દેશસેવા કરવા.
ગોપાલ સુતરિયાનું માનવું છે કે જેવી ગૌમાતાની સ્થિતિ એવી જ દેશ અને દેશના લોકોની સ્થિતિ. બસ આ માન્યતા મનમાં બેસાડીને અમદાવાદમાં શાંતિપુરા પાસે વૈજ્ઞાનિક અને વૈદિક રીતે ગાયોનો ઉછેર કરવાનું શરૂ કર્યુ. આજે અહીં 700થી વધુ દેશી ગાયોની જાતને એવી રીતે ડેવલપ કરાઈ છે કે જેની માંગ દેશ-વિદેશમાં થઈ રહી છે. ગોપાલભાઈનો શરૂઆતથી માત્ર એક જ હેતુ રહ્યો છે કે ગાય આધારિત ખેતી કરીને લોકોનું જીવન સ્વસ્થ અને સારું બનાવવું. અને આ માટે તેઓ ગાયોનું પણ પાલન એવી રીતે કરે છે કે ગાયને પણ કોઈ તકલીફ ન પડે અને મનુષ્યને પણ ગૌચરનો લાભ મળે... આ માટે તેઓ ખુદ ભારતભરમાંથી ખેડૂતોને પ્રશિક્ષણ આપીને તેનો વ્યાપ બને તેટલો વધારી રહ્યાં છે. ત્યારે જાણીએ હું છું ગુજરાતીમાં તેમની આ સંપૂર્ણ કહાણી...