બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દીકરીની ઉંમર 10 વર્ષ સુધી છે તો અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મળશે લાભ
ADVERTISEMENT
આ યોજનામાં દીકરીનાં નામે 15 વર્ષ સુધી વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા વાર્ષિકનું રોકાણ કરી શકાય છે અને 1000 રૂપિયા પ્રતિ વર્ષ ન્યૂનતમ જમા રાશી રકમ છે. ખાતું ખોલાવતા સમયે 250 રૂપિયાની રકમ જમા કરવાની રહે છે. આ રકમ દીકરીના શિક્ષણ અને લગ્નમાં ઉપયોગી થઇ શકે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ સુધી છે તો અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી શકો છો. આ રોકાણમાં ટેક્સમાં છૂટ મળે છે.

ADVERTISEMENT
બેથી વધુ દીકરીઓ હોય તો કેટલા ખાતાં ખુલી શકે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક દીકરીનું એક ખાતું ખોલાવી શકે છે. જે ઘરમાં બે કેથી વધુ દીકરીઓ છે તે વધુમાં વધુ ત્રણ ખાતા ખોલાવી શકે છે. 10 વર્ષથી ઓછા ઉંમરની દીરકીઓ માટે 250 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. દીકરીના 18 વર્ષ પૂરાં થવા પર અડધી રકમ કાઢી શકાય છે. જયારે દીકરીના લગ્નપ્રસંગ સમયે બાકીની રકમ કાઢી શકાય છે.
ADVERTISEMENT
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું તમે દેશના કોઈ પણ પોસ્ટ ઓફીસ કે બેંકમાં જઈ ખોલાવી શકો છો. ત્યાં જઈને તમારે એક ફ્રોમ ભરવાનું રહે છે. ફોર્મની સાથે જમા રાશિની રકમ રોકડ, ડ્રાફ્ટ અથવા ચેકથી પણ આપી શકાય છે. તે બાદ ખાતું ખુલી જશે. આ ખાતાંની એક પાસબુક પણ આપવામાં આવશે.
આ સ્કીમમાં આટલા દસ્તાવેજોની જરૂર પડશે
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારત સરકાર નક્કી કરે છે વ્યાજ દર
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વાર્ષિક 8.4 ટકા વ્યાજ મળે છે. દરવર્ષે ભારત સરકાર દ્વારા તેનું વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દીકરી 21 વર્ષની થાય ત્યાં સુધી અથવા તો 18 વર્ષની ઉંમર બાદ લગ્ન સમય સુધી આ ખાતું ચાલુ રાખવું પડશે.
ખાતું ટ્રાન્સફર થઇ શકે છે ?
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું દેશમાં ગમે ત્યાં ટ્રાન્સફર કરી શકાય છે. જો તમે કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થાઓ છો તો તે ખાતું ટ્રાન્સફર કરાવી શકાય છે. જોકે તેના માટે માતા-પિતા શિફ્ટ થઇ રહ્યા છે તેની સાબિતી આપવી પડશે. નોંધનીય છે કે જે બેંક અને પોસ્ટ ઓફીસમાં કોર બેન્કિંગ સુવિધા છે ત્યાં સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ ઈલેક્ટ્રોનિક રીતે જ ટ્રાન્સફર થઇ શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.