બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / સુરત / Students of another school in Surat ordered to close the school after coming infected with corona
Mehul
Last Updated: 04:22 PM, 8 December 2021
ગુજરાતમાં ઓમિકોનની દહેશત કોરોના સંક્રમણ હજુ પણ ફૂંફાડો મારી રહ્યો છે. સુરતમાં અડાજણની એક શાળામાં ત્રણ વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા મહાનગર પાલિકાએ એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા છે.
મહાનગર પાલિકા સુરતે અડાજણ વિસ્તારની રીવર ડેલ શાળામાં વિધાર્થીઓનું સામૂહિક ટેસ્ટીંગ આયોજિત કર્યું હતું. વિધાર્થીઓને કોરોના સંક્રમણ ટ્રેસ થતા 147 વિધાર્થીઓનો ટેસ્ટીંગ હાથ ધરાયો હતો. મહાપાલિકાના આરોગ્ય વિભાગના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગમાં ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા પ્રસાશને એક સપ્તાહ માટે શાળા બંધ કરી દેવા આદેશ આપ્યા હતા.
સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગઈ કાલે અડાજણની બે શાળામાં વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું, સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્ર દ્વારા 120 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતો, આમ એકાએક કોરોના કેસમાં ઉછાળો આવતા સુરત મનપા દ્વારા માસ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શાળામાં બે બાળકોનો રિપોર્ટિ પોઝિટિવ આવતા અન્ય બાળકોમાં સંક્રમણ ફેલાવાની આશંકાએ શાળા સંચાલકોએ નિર્ણય લીધો છે, મનપાના નિર્દેશ બાદ શાળાને 7 દિવસ માટે બંધ કરાઈ છે.
સુરત શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓમિક્રોનની દહેશત યથાવત છે ત્યારે શાળામાં બાળકોના સંક્રમણનો ખતરો પણ વધ્યો છે. ત્યારે મનપા અને શાળાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે અડાજણની સંસ્કારભારતી શાળાની વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાદ પણ વિદ્યાર્થિની શાળાએ આવી રહી હતી. ચાર દિવસ પહેલા વિદ્યાર્થીની બિમાર પડી હતી ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જોકે શાળા સંચાલકોએ ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાનો ઇન્કાર કરી રહ્યા છે. કોરોનાનો કેસ આવ્યા છતાં બાળકો શાળાએ આવ્યા હતા તેથી શાળા સંચાલકો અને પાલિકાની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime