SBI(એસબીઆઇ) એ મંગળવારે માર્જિન કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટમાં 35 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.35 ટકાનો ઘટાડો કરી દીધો છે, અને આ નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે.
SBI થી હોમ લોન લીઘી છે તો પછી તમારા માટે ખુશીના સમાચાર છે
જો કે કોઇ પ્રકારની ડિપૉઝીટ કરી છે તો પછી એમાં થોડો ઝટકો લાગશે
નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે
જો તમે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકથી હોમ લોન લીઘી છે તો પછી તમારા માટે ખુશીના સમાચાર છે. તો બીજી બાજુ જો તમે આ બેંકમાં કોઇ પ્રકારની ડિપૉઝીટ કરી છે તો પછી એમાં થોડો ઝટકો લાગશે.
વાસ્તવમાં એસબીઆઇ (SBI)એ મંગળવારે મંગળવારે માર્જિન કૉસ્ટ ઑફ લેન્ડિંગ રેટમાં 35 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.35 ટકાનો ઘટાડો કરી દીધો છે, અને આ નવા દર 10 એપ્રિલથી લાગૂ થશે.
આ બદલાવ સાથે જ બેંકે એક વર્ષની એમસીએલઆર 7.75 ટકાથી ઘટીને 7.40 ટકા પર આવી ગઇ છે. આ ઘટાડાનો સૌથી વધારે ફાયદો હોમ લોનના ગ્રાહકોને મળવાનો છે. આ ઉપરાંત તમામ પ્રકારની રિટેલ લોન ગ્રાહકોને પણ એનો ફાયદો મળશે.
હોમ લોનની EMIમાં થશે આટલી બચત
SBI તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટાડાની સાથે MCLRથી લિંક્ડ 30 વર્ષના સમયની હોમ લોનની EMI પ્રતિ લાખના હિસાબથી 24 રૂપિયા ઓછી થઇ જશે. એટલે કે કોઇએ આ બેંક પાસેથી 30 વર્ષ માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે તો એની ઇએમઆઇ 720 રૂપિયા ઓછી થઇ જશે.
વ્યાજદરમાં ઘટાડાનો નિર્ણય
આ ઉપરાંત SBIએ તમામ સમય મર્યાદાના રિટેલ અને બલ્ક જમા પર પણ વ્યાજ દરમાં 0.20 ટકાથી એક ટકા સુધીના ઘટાડાની જાહેરાત કરી છે. SBIએ મંગળવારે 7 એપ્રિલે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ સુધીની જમા રકમ પર 3 ટકા વ્યાજ મળશે, જ્યારે 1 લાખથી ઉપરની જમા રકમ પર 2.75 ટકા વ્યાજ મળશે. આ બદલાવ 15 એપ્રિલથી લાગૂ થશે.
નોંધનીય છે કે આરબીઆઇએ 27 માર્ચે મૉનેટરી પૉલિસી રિવ્યૂની જાહેરાત કરતા રેપો રેટમાં 0.75 ટકાના ઘટાડાની જાહેરાત કરી હતી. ત્યારબાદ SBIએ પણ પોતાના વ્યાજદરોમાં 0.75 ટકાનો ઘટાડો કરી દીધો હતો.