બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / srinagar terrorists open fire again in baramulla former ssp reciting azaan shot dead

જમ્મુ કાશ્મીર / કાશ્મીરમાં ફરી પરિસ્થિતિ ગંભીર: હવે અજાન આપવા જઈ રહેલ રિટાયર્ડ SSPની ગોળી મારીને હત્યા, આતંકીઓને શોધવામાં લાગી સેના

Manisha Jogi

Last Updated: 12:19 PM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે ઉત્તર કાશ્મીરમાં આતંકીઓએ સેવાનિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી છે. પોલીસ ગંટમુલા અને આસપાસના વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવી રહી છે.

  • અજાન આપી રહેલ સેવાનિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
  • આસપાસના વિસ્તારોમાં તલાશી અભિયાન
  • અજાન આપતા સમયે પહેલીવાર હત્યા

આજે સવારે ઉત્તર કાશ્મીરમાં ગંટમુલા (બારામુલા)માં મસ્જિદમાં આતંકીઓએ અજાન આપી રહેલ એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી છે. આતંકીઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. પોલીસ ગંટમુલા અને આસપાસના વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવી રહી છે. 

મૃતકનું નામ મોહમ્મદ શફી મીર છે અને જમ્મુ કાશ્મીર પોલીસમાં SSP રેન્કથી સેવાનિવૃત્ત થયા હતા. બારામુલા-ઉડી માર્ગ પર આવેલ ગંટમુલામાં એક સૈન્યપ્રતિષ્ઠાન છે. ગંટમુલાના તમામ રસ્તાઓ પર પોલીસ અને સેનાની અલગ અલગ પોલીસ ચોકી છે. જે મસ્જિદમાં આ ઘટના બની છે, તે સુરક્ષા પ્રતિષ્ઠાનની નજીક આવે છે.

અજાન સમયે નમાજી હત્યાની પ્રથમ ઘટના
કાશ્મીર ઘાટીમાં મસ્જિદની બહાર અને મસ્જિદ પરિસરમાં હત્યાની અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. અજાન આપતા સમયે નમાજીની હત્યા કરવાની આ પહેલી ઘટના છે. શ્રીનગરના બટમાલૂમાં 10 ઓગસ્ટ 2012ના રોજ આતંકીઓએ સેવાનિવૃત્ત પોલીસ DSP અબ્દુલ હમીદ બટની ગોળી મારીને હત્યા કરી હતી. 

6 વર્ષ પહેલા તત્કાલીન DSPની હત્યા
6 વર્ષ પહેલા 23 જૂન 2017ના રોજ તત્કાલીન DSP મોહમ્મદ અયૂબ પંડિત નમાજ અદા કર્યા પછી સીડીઓ પર જૂતા પહેરી રહ્યા હતા. આતંકીઓ અને અલગાવવાદીઓના હિંસ સમર્થકોની ભીડે શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદમાં તત્કાલીન DSP મોહમ્મદ અયૂબ પંડિતને માર મારીને તેમની હત્યા કરી હતી. શ્રીનગરના બરજુલ્લા વિસ્તારમાં 2 ફેબ્રુઆરી 2004ના રોજ આતંકીઓએ સેવાનિવૃત્ત DIG મોહમ્મદ અમીન બટ મસ્જિદમાંથી બહાર નીકળતા તેમને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા. 

ગોળી વાગ્યા પછી લોહીથી લથપથ
મોહમ્મદ શફી મીર ઘરની નજીક આવેલ એક મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા. તે સમયે મસ્જિદમાં એક કે બે જ ગ્રામીણ હતા. મોહમ્મદ શફી મીર અજાન આપી રહ્યા હતા, તે સમયે આતંકીઓએ પાછળથી આવીને તેમના પર પોઈન્ટ બેન્ક રેન્જથી ગોળીબાર કર્યો. જેથી તેઓ લોહીથી લથપથ થઈને જમીન પર ઢળી પડ્યા અને આતંકીઓ તેમને મૃતક સમજીને ફરાર થઈ ગયા. 

મસ્જિદમાં રહેલ અન્ય લોકોએ મદદ માટે ચીસો પાડી. ગોળી સાંભળીને તે વિસ્તારમાં રહેલ સુરક્ષાકર્મી તથા અન્ય લોકો પણ મસ્જિદમાં પહોંચી ગયા. ઈજાગ્રસ્ત મોહમ્મદ શફી મીરને હોસ્પિટલ લઈ જતા ડોકટરોએ તેમને મૃતક જાહેર કરી દીધા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ