બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 12:19 PM, 24 December 2023
આજે સવારે ઉત્તર કાશ્મીરમાં ગંટમુલા (બારામુલા)માં મસ્જિદમાં આતંકીઓએ અજાન આપી રહેલ એક સેવાનિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી છે. આતંકીઓ ગોળીબાર કરીને ફરાર થઈ ગયા છે અને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. પોલીસ ગંટમુલા અને આસપાસના વિસ્તારોમાં તલાશી અભિયાન ચલાવી રહી છે.
મૃતકનું નામ મોહમ્મદ શફી મીર છે અને જમ્મુ કાશ્મીર પોલીસમાં SSP રેન્કથી સેવાનિવૃત્ત થયા હતા. બારામુલા-ઉડી માર્ગ પર આવેલ ગંટમુલામાં એક સૈન્યપ્રતિષ્ઠાન છે. ગંટમુલાના તમામ રસ્તાઓ પર પોલીસ અને સેનાની અલગ અલગ પોલીસ ચોકી છે. જે મસ્જિદમાં આ ઘટના બની છે, તે સુરક્ષા પ્રતિષ્ઠાનની નજીક આવે છે.
અજાન સમયે નમાજી હત્યાની પ્રથમ ઘટના
કાશ્મીર ઘાટીમાં મસ્જિદની બહાર અને મસ્જિદ પરિસરમાં હત્યાની અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. અજાન આપતા સમયે નમાજીની હત્યા કરવાની આ પહેલી ઘટના છે. શ્રીનગરના બટમાલૂમાં 10 ઓગસ્ટ 2012ના રોજ આતંકીઓએ સેવાનિવૃત્ત પોલીસ DSP અબ્દુલ હમીદ બટની ગોળી મારીને હત્યા કરી હતી.
#WATCH | Baramulla, J&K: Area cordoned off after terrorists fired upon a retired police officer, Mohd Shafi, at Gantmulla, Sheeri Baramulla, while praying Azan in the mosque and succumbed to injuries.
— ANI (@ANI) December 24, 2023
(Visuals deferred by unspecified time) https://t.co/2RZuD3G404 pic.twitter.com/iFR5DUNRkO
6 વર્ષ પહેલા તત્કાલીન DSPની હત્યા
6 વર્ષ પહેલા 23 જૂન 2017ના રોજ તત્કાલીન DSP મોહમ્મદ અયૂબ પંડિત નમાજ અદા કર્યા પછી સીડીઓ પર જૂતા પહેરી રહ્યા હતા. આતંકીઓ અને અલગાવવાદીઓના હિંસ સમર્થકોની ભીડે શ્રીનગરની ઐતિહાસિક જામિયા મસ્જિદમાં તત્કાલીન DSP મોહમ્મદ અયૂબ પંડિતને માર મારીને તેમની હત્યા કરી હતી. શ્રીનગરના બરજુલ્લા વિસ્તારમાં 2 ફેબ્રુઆરી 2004ના રોજ આતંકીઓએ સેવાનિવૃત્ત DIG મોહમ્મદ અમીન બટ મસ્જિદમાંથી બહાર નીકળતા તેમને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ગોળી વાગ્યા પછી લોહીથી લથપથ
મોહમ્મદ શફી મીર ઘરની નજીક આવેલ એક મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા. તે સમયે મસ્જિદમાં એક કે બે જ ગ્રામીણ હતા. મોહમ્મદ શફી મીર અજાન આપી રહ્યા હતા, તે સમયે આતંકીઓએ પાછળથી આવીને તેમના પર પોઈન્ટ બેન્ક રેન્જથી ગોળીબાર કર્યો. જેથી તેઓ લોહીથી લથપથ થઈને જમીન પર ઢળી પડ્યા અને આતંકીઓ તેમને મૃતક સમજીને ફરાર થઈ ગયા.
મસ્જિદમાં રહેલ અન્ય લોકોએ મદદ માટે ચીસો પાડી. ગોળી સાંભળીને તે વિસ્તારમાં રહેલ સુરક્ષાકર્મી તથા અન્ય લોકો પણ મસ્જિદમાં પહોંચી ગયા. ઈજાગ્રસ્ત મોહમ્મદ શફી મીરને હોસ્પિટલ લઈ જતા ડોકટરોએ તેમને મૃતક જાહેર કરી દીધા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime