બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup જીત્યા પછી સૂર્યકુમાર યાદવ લેશે સન્યાસ? પ્રેસ કોન્ફરન્સમાં કર્યો મોટો ખુલાસો
Last Updated: 08:19 AM, 9 March 2026
Suryakumar Retirement News: કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે જેમણે ભારતને ICC ટુર્નામેંટ જીતાડી છે. સૂર્યાનું કેપ્ટન્સીમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું દમદાર રહયું હતું અને અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવીને T 20 World Cup 2026 નો ખિતાબ પોતાના નામે કર્યો છે. જો કે ટુર્નામેન્ટની શરૂઆતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે 35 વર્ષના સૂર્યકુમાર યાદવ આ ટુર્નામેન્ટ પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લેશે ત્યારે તેમણે પોતે આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે.
ADVERTISEMENT
T 20 World Cup જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવએ પોતાની નિવૃત્તિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. ફાઇનલ જીત્યા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે હાલમાં બધું ખૂબ સારું ચાલી રહ્યું છે, તેથી નિવૃત્તિ વિશે વિચારવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ICC Men's T20 World Cup 2026ની જીત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવ સાથે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ હાજર હતા. નિવૃત્તિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સૂર્યાએ હળવા અંદાજમાં કહ્યું, “જ્યારે બધું આટલું સરસ ચાલી રહ્યું છે, ત્યારે નિવૃત્તિ વિશે કેમ વિચારવું?” તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેઓ હાલ ક્રિકેટમાંથી દૂર થવાના કોઈ મૂડમાં નથી. સૂર્યકુમાર યાદવે ઉમેર્યું કે તેઓ હજુ પણ ટીમ માટે ઘણું ક્રિકેટ રમવા માંગે છે અને આગળ પણ ભારત માટે મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર છે. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થયું છે કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેઓ હજુ લાંબા સમય સુધી મેદાનમાં જોવા મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ભવિષ્યના પ્લાન વિશે પણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે હવે તેમનું ધ્યાન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવા પર કેન્દ્રિત છે. સૂર્યાએ કહ્યું કે આગામી મોટા ટૂર્નામેન્ટમાં ભારત માટે સારું પ્રદર્શન કરવાનું તેમનું લક્ષ્ય છે. સૂર્યકુમાર યાદવે વધુમાં કહ્યું કે તેમની નજર આગામી ICC Men's T20 World Cup 2028 પર પણ છે. એટલે કહી શકાય કે તેઓ હજુ ઓછામાં ઓછા બે વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું ઇચ્છે છે અને ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવાની તૈયારીમાં છે. ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડ કપ 2028નું આયોજન ઓસ્ટ્રેલિયા ( Australia) અને ન્યુઝીલેન્ડ (New Zealand)ની સંયુક્ત યજમાનીમાં થવાનું છે. તેથી સૂર્યકુમાર યાદવનું લક્ષ્ય આગામી વર્ષોમાં પણ ભારત માટે મોટી ટૂર્નામેન્ટોમાં સફળતા મેળવવાનું રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
યાદવ માટે ફાઇનલ મેચ બેટિંગની દ્રષ્ટિએ ખાસ યાદગાર રહી નહોતી. તે મેચમાં તેઓ ખાતું ખોલ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. તેમ છતાં સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમના પ્રદર્શનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ICC Men's T20 World Cup 2026માં સૂર્યકુમાર યાદવે કુલ 9 મેચ રમીને 242 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન સાથે તેઓ ભારતીય ટીમ માટે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ત્રીજા ક્રમના બેટ્સમેન બન્યા હતા. તેમની ઇનિંગ્સમાં એક અર્ધશતક પણ સામેલ હતું. જે ટૂર્નામેન્ટના પ્રથમ જ મુકાબલામાં આવ્યું હતું. આ પ્રથમ મેચમાં સૂર્યકુમાર યાદવે દબાણભરી પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરી હતી અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી હતી. તેમના આ પ્રદર્શનને કારણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેઓ ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી તરીકે સાબિત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.