બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:53 PM, 9 October 2025
વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધના બીજા ટેસ્ટ મેચ પહેલા ભારતીય કપ્તાન શુભમન ગિલે એવું નિવેદન આપ્યું છે જે ક્રિકેટ પ્રેમીઓને આઘાત આપીશકે છે. ગિલે કહ્યું કે, તેમને પહેલેથી જ ખબર હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડનારા કપ્તાન રોહિત શર્માની જગ્યાએ તેઓ વનડે ટીમની કમાન સંભાળશે. આ નિવેદન અમદાવાદ ટેસ્ટ દરમિયાન વનડે કપ્તાનીની જાહેરાત પછી આવ્યું, જે ભારતીય ક્રિકેટમાં મોટા પરિવર્તનની નિશાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત સાથે રોહિત શર્માને કપ્તાનીમાંથી હટાવવામાં આવ્યા, અને શુભમન ગિલને વનડે કમાન સોંપાઈ. આ જાહેરાતે ફેન્સને મોટો આઘાત આપ્યો, કારણ કે રોહિતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતને જીત અપાવી હતી.
ADVERTISEMENT

પરંતુ ગિલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'જાહેરાત ટેસ્ટ મેચના વચ્ચે થઈ, પરંતુ મને તે પહેલેથી જ ખબર પડી ગઈ હતી. આ એક મોટી જવાબદારી અને સન્માન છે. હું વનડે ફોર્મેટમાં દેશને લીડ કરવા માટે તૈયાર છું. છેલ્લા કેટલાક મહિનાઓ મારા માટે રોમાંચક રહ્યા છે અને હું ભવિષ્ય માટે પણ તૈયાર છું.'આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રોહિત શર્માને હટાવવા અંગે ગિલને અગાઉથી જાણકારી હતી. તેમની વચ્ચે, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પહેલેથી જ ચર્ચા થઈ હતી. અમદાવાદમાં વેસ્ટઇન્ડીઝને 3 દિવસમાં હરાવીને 1-0ની લીડ લીધા બાદ આ જાહેરાત થઈ, જેમાં ગિલને ટેસ્ટ અને વનડે બંનેમાં કપ્તાની મળી છે. BCCIએ વિશેષ વીડિયોમાં ગિલના સફરને રજૂ કર્યો, જે તેમની ટેસ્ટ કપ્તાનીથી વનડે કપ્તાની સુધીની વાત કરે છે.
ADVERTISEMENT

આ નિવેદન ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગિલને વનડે કપ્તાની મળવાનો અર્થ એ પણ છે કે તેઓ 2027 વર્લ્ડ કપ તરફની લાંબી યોજનાનો ભાગ છે. સિલેક્ટર્સે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય લાંબા સમયની વિચારણા પછી લેવાયો, જેથી નવા કપ્તાનને પૂરતો સમય મળે. શ્રેયસ અય્યરને વાઇસ-કેપ્ટન બનાવાયા છે, અને ટીમમાં રોહિત, વિરાટ કોહલી, કેએલ રાહુલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 19 ઓક્ટોબરથી શરૂ થતી ત્રણ મેચની વનડે સિરીઝમાં ગિલ કપ્તાની કરશે. હવે પ્રશ્ન એ ઊઠે છે કે રોહિત શર્માનો ભવિષ્ય શું? ગિલને જાણકારી હોવાથી લાગે છે કે તેઓ રોહિતના વનડે કરિયર વિશે પણ જાણે છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: સુપ્રીમ કોર્ટમાં જૂતા કાંડ પર પહેલી વખત બોલ્યા CJI બી.આર. ગવઈ, જુઓ શું કહ્યું
ચીફ સિલેક્ટર અજિત અગરકરે કહ્યું કે રોહિત અને વિરાટને મેરિટ પર પસંદ કરવામાં આવશે, પરંતુ વર્લ્ડ કપ સુધી રમવું મુશ્કેલ ગણાય છે. રોહિતે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી, પરંતુ તેમની ઉંમર અને ફોર્મને કારણે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે. ગિલે આ વચ્ચે કહ્યું કે, 'ટીમને વનડેમાં વિરાટ અને રોહિતની જરૂર છે.' બંને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં રમશે, જે તેમના કરિયરની છેલ્લી સિરીઝ તરીકે જોવાઈ શકે છે? આ નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીરની સ્પ્લિટ કેપ્ટન્સી વિઝનને અનુરૂપ છે, જે કપ્તાનો પર માનસિક દબાણ ઘટાડે છે. ગિલે કહ્યું કે તેઓ તમામ ફોર્મેટમાં રમીને ICC ટાઇટલ જીતવા માંગે છે. આ ટ્રાન્ઝિશન ભારતીય ક્રિકેટને નવી દિશા આપશે, પરંતુ રોહિત-વિરાટના ફેન્સ માટે તે દુઃખદ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.