બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Shravan Mass 2023 shivling offer these grains to lord shiva for prosperity

આસ્થા / શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ઘરેથી આ 5 અનાજ પણ લેતા જાઓ: ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Arohi

Last Updated: 04:23 PM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shravan Mass 2023: ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અનેક પ્રકારની વસ્તુઓ ચડાવવામાં આવે છે. માન્યતા છે કે શિવલિંગ પર જે પણ કંઈ શ્રદ્ધાથી અર્પિત કરવામાં આવે તેનું ફળ જરૂર પ્રાપ્ત થાય છે.

  • હિંદૂ ધર્મમાં શિવલિંગ પૂજાનું ખાસ મહત્વ 
  • શિવલિંગ પર શ્રદ્ધાથી અર્પિત કરો આ વસ્તુઓ 
  • ભગવાન શિવ પ્રસન્ન થઈ આપશે આશીર્વાદ 

હિંદૂ ધર્મમાં શિવલિંગ પૂજાનું ખૂબ જ મહત્વ છે. પૂજા વખતે શિવલિંગ પર દૂધ, દહીં, મધ, પુષ્પ, ધતુરા, બિલિપત્ર વગેરે સહિત ઘણી વસ્તુઓ ચડાવવામાં આવે છે. તેમાંથી એક છે 'શિવા મુઠ્ઠી' જેમાં પાંચ પ્રકારના અનાજ શિવલિંગ પર અર્પિત કરવાનું ખાસ વિધાન છે. આ પાંચ પ્રકારના અનાજ કયા છે આવો જાણીએ 

શિવલિંગ પર ચડાવો અક્ષત 
શિવલિંગ પર ચોખા ચડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચોખા ચડાવવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. ચોખા ચડાવવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે. તંગી, દેવુ વગેરે મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ. તૂટેલા નહીં. 

શિવલિંગ પર ચડાવો તુવેરની દાળ 
શિવજીને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. 

શિવલિંગ પર ચડાવો કાળા તલ 
શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃ દોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. 

શિવલિંગ પર ચડાવો ઘઉં
શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે. માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થા છે. વૈવાહિક દંપત્તિને શિવલિંગ પર ઘઉં જરૂર પડાવવા જોઈએ. 

શિવલિંગ પર ચડાવો મગની દાળ 
શિવલિંગ પર મગ દાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કામ સફળતાની સાથે પુરૂ થાય છે. તેનો લાભ મળે છે. 

તમે પણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમની કૃપા મેળવવા માટે શિવલિંગ પર 'શિવા મુઠ્ઠી' એટલે કે પાંચ પ્રકારના અનાજ અર્પિત કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ