બ્રેકિંગ ન્યુઝ
શેહન જયસૂર્યાએ શ્રીલંકા ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. આ માહિતી તેણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને માહિતી આપી છે. શેહન જયસૂર્યાએ બોર્ડને કહ્યું કે તે દેશ છોડીને અમેરિકા સ્થાયી થઈ રહ્યો છે. શેહન પોતાના સંપૂર્ણ પરિવાર સાથે શ્રીલંકા છોડી રહ્યો છે.
ADVERTISEMENT
શેહન જયસૂર્યાએ શ્રીલંકા માટે 30 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે
નોંધનીય છે કે શેહન જયસૂર્યાએ શ્રીલંકા માટે 30 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શેહને 12 વન ડે અને 18 ટી 20 મેચોમાં ભાગ લીધો છે. શેહને વન ડેમાં અડધી સદી ફટકારી છે. તે જ સમયે, આ બેટ્સમેને ડોમેસ્ટિક ક્રિકેટમાં 21 સદી ફટકારી છે.
ADVERTISEMENT
ગયા વર્ષે પાકિસ્તાન સામે 96 રન બનાવ્યા હતા
29 વર્ષીય શેહન જયસૂર્યાએ ગયા વર્ષે જ્યારે પાકિસ્તાન સામે 96 રન બનાવ્યા ત્યારે તે ચર્ચામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમે ફક્ત 28 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ આ બેટ્સમેને જબરજસ્ત બેટિંગ કરતા તમામના દિલ જીતી લીધા હતા. શેહને દસુન શનાકા સાથે 177 રનની ભાગીદારી નોંધાવી હતી.
ADVERTISEMENT
ઘણા ક્રિકેટ ખેલાડીઓએ પોતાનો દેશ છોડીને અમેરિકા સ્થાયી થવાનું નક્કી કર્યું છે
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા ક્રિકેટ ખેલાડીઓએ પોતાનો દેશ છોડીને અમેરિકા સ્થાયી થવાનું નક્કી કર્યું છે. તેમાં કોરી એન્ડરસન, સામી અસલમ, ડેન પીટ શામેલ છે. તે જ સમયે, રસ્ટી થેરોન પહેલેથી જ અમેરિકા માટે ડેબ્યુ કરી ચૂક્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.