બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Shani sade sati Shaniwar Shani Dhaiya Do this with urad dal

ધર્મ / આજે શનિવાર: આ દિવસે તેલ અને અડદની દાળથી કરો આ ઉપાય, શનિ ઢૈયા સહિત સાડાસાતીથી મળશે રાહત

Manisha Jogi

Last Updated: 08:18 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માન્યતાઓ અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે શનિદેવને સરસિયાનું તેલ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિદેવની કૃપાદ્રષ્ટીથી રંક પણ રાજા બની શકે છે.

  • શનિદેવને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય. 
  • શનિવારે કયા ઉપાય કરવા જોઈએ?
  • આ ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાની થશે દૂર.

સૂર્યપુત્ર શનિદેવને શનિવારનો દિવસ સમર્પિત છે, જેથી આજના દિવસે વિધિપૂર્વક શનિદેવની પૂજા કરવી જોઈએ. પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી તેને ફળદાયી માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે શનિદેવને સરસિયાનું તેલ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિદેવની કૃપાદ્રષ્ટીથી  રંક પણ રાજા બની શકે છે, જેને શનિદોષ લાગે છે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. જો તમે પણ શનિદોષથી પીડાઈ રહ્યા છો તો, આજના દિવસે આ વિશેષ ઉપાય કરવા જોઈએ. 

શનિવારના દિવસે કયા ઉપાય કરવા જોઈએ?

  • જો તમે આજના દિવસે ઈન્ટરવ્યૂ, મીટિંગ અથવા અન્ય કામ માટે બહાર જઈ રહ્યા છો, તો તમારું તે કામ સફળ થાય તે માટે વાદળી રંગના કપડા પહેરવા જોઈએ. જો તમારી પાસે વાદળી રંગના કપડા નથી તો તમારી પાસે વાદળી રૂમાલ જરૂરથી હોવો જોઈએ. 
  • જો તમે ઉચ્ચ અભ્યાસ બાબતે યોગ્ય નિર્ણય નથી કરી શકતા તો તમારે માઁ સરસ્વતી પાસે ઘી નો દીવો કરીને આરતી કરવી જોઈએ અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. ઉપરાંત વિદ્યા યંત્ર પણ ધારણ કરવું જોઈએ. 
  • જો તમે તમારા કામથી અન્ય લોકોને પ્રભાવિત કરવા માંગો છો તો તમારે નહાવાના પાણીમાં સફેદ ચંદન નાખવું જોઈએ. 
  • જો તમને વિદેશ જવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો વાદળી રંગનો દોરો લઈને તેમાં 11 ગાંઠ વાળી લો. આ ગાંઠ વાળતા સમયે રાહુ મંત્ર 'ॐ भ्रां भ्रीं भ्रौं स: राहवे नम:'નો જાપ કરવો જોઈએ. ત્યાર પછી આ દોરો હાથમાં અથવા ગળામાં પહેરી લો. 
  • જો તમે કાયદાકીય બાબતોમાં ફસાઈ ગયા છો, તો આજના દિવસે સ્વાતી નક્ષત્ર દરમિયાન અડદ દાળ લઈને પીપળાના ઝાડ પાસે જમીનમાં દાટી દો. પીપળાના ઝાડ સામે નમન કરીને આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરો. 
  • જો તમે પણ વારંવાર આવતી પરેશાનીઓ દૂર કરવા માંગો છો, તો આજના દિવસે સ્નાન કર્યા બાદ 108 વાર શનિમંત્ર 'ॐ शं शनैश्चराय नम:' નો જાપ કરો. 
  • જો તમે તમારી કાર્યક્ષમતા મજબૂત કરવા માંગો છો તો આજના દિવસે અર્જુનના ઝાડ પાસે નમન કરો અને જળ અર્પણ કરો. 
  • જો તમારા જીવનમાં આર્થિક પરેશાની છે, તો આજના દિવસે રાહુનું આધિપત્ય ધરાવતા 8 મુખી રૂદ્રાક્ષની પૂજા કરીને તેને ધારણ કરી લો. 
  • જો તમે શનિની સાડેસાતીથી બચવા માંગો છો, તો આજના દિવસા વાટકીમાં સરસિયાનું તેલ લઈને તેમાં એક રૂપિયાનો સિક્કો નાખો. હવે તે વાટકીમાં તમારો ચહેરો જોવો અને તે તેલ શનિનું દાન લેનાર વ્યક્તિને આપી દો. આ પ્રક્રિયા સતત સાત શનિવાર સુધી કરવી જોઈએ જેનાથી શુભ ફળ પ્રાપ્ત થશે. 
  • જીવનમાં સ્થિરતા લાવવા માટે આજના દિવસે સ્વાતી નક્ષત્ર દરમિયાન ઝાડના નવા પાનથી, ચોખાથી શનિદેવની પૂજા કરવી જોઈએ. 
  • જો તમે પણ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો આજના દિવસે સફેદ ચંદનની ગોળી લઈને તમારી પાસે રાખો. ત્યારબાદ સતત 27 દિવસ સુધી તે તમારી પાસે જ રાખો. તમે આ ચંદનની ગોળી દોરામાં પરોવીને ગળામાં પણ પહેરી શકો છો. 
  • આજના દિવસે સાબુત અડદ દાળ લો અને તેમાં સરસિયાના તેલન બેથી ચાર ટીપા નાખો. હવે આ દાળ શનિદેવના મંદિરમાં મુકી આવો. જો તમારા ઘરની આસપાસ શનિદેવનું મંદિર નથી તો પીપળાનું ઝાડ નીચે મુકી દો. આજના દિવસે આ પ્રકારે કરવાથી વિશેષ ક્ષેત્રે પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ