દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)એ કોરોના વાયરસના ફેલાવવાને રોકવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવા માટે બેંકની બ્રાંચના ખુલવાના સમયમાં ફેરફાર કર્યો છે.
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રિટેલ બેંકિંગ પી.કે.ગુપ્તાએ કહ્યું કે, દેશભરની બેંક બ્રાંચમાં કામ કરવા માટે ત્રણ નવા ટાઇમ સ્લોટ બનાવવામાં આવ્યા છે. આ ટાઇમ સ્લોટ રાજ્યોની સલાહ લીધા બાદ બનાવવામાં આવ્યા છે.
પી.કે.ગુપ્તા અનુસાર, કેટલાક રાજ્યોમાં બેંક શાખાઓ 7-10 સુધી કાર્યરત રહેશે. કેટલાક રાજ્યોમાં સવારે 8-11 સુધી અને કેટલીક બ્રાંચ10થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રહેશે. SBI બેંક તેની દરેક બ્રાંચમાં માસ્ક અને સેનિટાઇઝર આપી રહી છે. બેંકોમાં આવનારા દરેક ગ્રાહકે લાઇનમાં 1 મીટરનું અંતર જાળવવા કહેવામાં આવી રહ્યું છે. બેંકના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને ઓલ્ટરનેટિવ ડેઝ અનુસાર કામ કરવા જણાવાયું છે.
BIએ લોકોની રોકડ સમસ્યાને પહોંચી વળવા મોબાઇલ ATM સેવા શરૂ કરી છે. પી.કે. ગુપ્તાનું કહેવું છે કે, લોકો મોબાઇલ ATMમાંથી ગમે ત્યાંથી રોકડ ઉપાડી શકે છે અને તેને બેંક શાખામાં જવાની જરૂર નહીં પડે. તેમણે ટ્વિટર પર મોબાઈલ ATMનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકો મોબાઇલ ATMમાંથી રોકડ ઉપાડતા નજરે પડે છે. આ સમય દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ અપનાવી રહ્યા છે