કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં બાદ હજુ પણ કેટલાક ધારાસભ્યો નારાજ છે.. ત્યારે નારાજગી મુદ્દે સાવરકુંડલાના MLAના પ્રતાપ દુધાતે સ્પષ્ટતા કરી હતી.કહ્યું કે હું કોંગ્રેસ સાથે હતો અને આગળ પણ રહીશ. રાજ્યસભામાં ક્રોસ વોટિંગ કરનારને ગામડામાં ઘુસવું મુશ્કેલ થશે. ધારાસભ્યોને વ્હિપ આપવામાં આવશે. પક્ષની વિરુદ્ધ જનારા ધારાસભ્યને ઘરે બેસવું પડશે. ભાજપના ધારાસભ્યો ઈમાન સાથે કોંગ્રેસને મત આપશે. ગદ્દાર લોકોને ગુજરાત ક્યારેય માફ નથી કરતું. પાર્ટી જ્યાં જવાનો આદેશ કરશે ત્યાં જઈશ.