શિવસેના નેતા સંજય રાઉત પોતાના આકરા વલણ માટે જાણીતા છે. ભાજપ પર પ્રહાર કરતા રહે છે, પરંતુ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સંજય રાઉતે સીએમ યોગીના વખાણ કર્યા હતા.
સંજય રાઉતે મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ
યોગીએ હિન્દુઓની રાજનીતિ કરીઃ રાઉત
યોગીએ યુપીમાં વિકાસ કર્યો, સન્માન છેઃ રાઉત
જ્યારથી મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટ્યું ત્યારથી તેમના ભાજપના નેતાઓ પર પ્રહાર પણ એટલા જ વધી ગયા છે. પરંતુ રાઉતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિલ ખોલીને વખાણ કર્યા હતા.
સંજય રાઉતને પૂછવામાં આવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં લાઉડસ્પીકરને લઇને ઝડપથી કાર્યવાહી થઇ રહી છે, રાજ ઠાકરે પણ તેમના વખાણ કરી રહ્યા છે. તેના પર રાઉતે જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઘણુ સન્માન કરે છે. તેમની નજરોમાં યોગી હિન્દુઓની રાજનીતિ કરે છે. તેમણે યુપીમાં વિકાસ કર્યો છે.
સંજય રાઉતે એ પણ માહિતી આપી કે તેઓ જ્યારે પણ અયોધ્યા જાય છે અને જો તેમની મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત થઇ જાય છે તો તેઓ હંમેશા સારી રીતે મળે છે. રાઉતે યોગીના વખાણ કર્યા, પરંતુ રાજ ઠાકરેનો ઉલ્લેખ કરતા તેઓ કહી ગયા કે તેમના દ્વારા પહેલા યુપીના મુખ્યમંત્રી માટે ઘણુ બધુ કહેવામાં આવતું હતું. તેઓ તેમની કાર્યપદ્ધતિની મજાક બનાવતા હતા.
રાઉતે રોડ પર પઢવામાં આવતી નમાઝ અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે મહારાષ્ટ્રમાં સૌથી પહેલો જો મુદ્દો કોઈએ ઉઠાવ્યો હોય તો તે બાલા સાહેબ ઠાકરે હતા. તેમની નજરોમાં જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બની હતી, ત્યારે બાલા સાહેબ ઠાકરેએ સલાહ આપી હતી કે મસ્જિદોનો સર્ફેસ એરિયા વધારી શકાય છે, તેવું થવા પર લોકો રસ્તા પર નમાઝ પઢવા નહીં આવે.
નમાઝ સિવાય શિવસેના નેતા લાઉડ સ્પીકર વિવાદ પર આપવામાં આવેલી રાજ ઠાકરેની ચેતવણી પર પણ કટાક્ષ કર્યો. તેઓ બોલ્યા કે જેની ખુદની પાર્ટી ડેડ થઇ ગઇ હોય, તેઓ શું કોઇને ડેડલાઇન આપશે.
મહત્વનું છે કે, રાજ ઠાકરેએ રાજ્ય સરકારને 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમના અનુસાર જો ત્યાં સુધીમાં મસ્જિદોથી લાઉડસ્પીકર ન હટાવાયા તો તેઓ લાઉડસ્પીકર પર જ હનુમાન ચાલીસાના પાઠ ચલાવશે. તેમની પાર્ટી દ્વારા આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે.