બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Salman Khan House Firing shooters 4 lakh rupees offered to carry out shooting Mumbai
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપીની હરિયાણાથી અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડાયેલા શંકાસ્પદનો સંબંધ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે છે અને તે ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે અટકાયત કરાયેલ વ્યક્તિએ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ પાસેથી આદેશ લીધો હોવાની શંકા છે. તેમનું એમ પણ કહેવું છે કે ગોળીબારની આ ઘટનાને અંજામ આપવા માટે શૂટરોને 4 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ જણાવ્યું કે રવિવારે બાંદ્રા વિસ્તારમાં સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાનાં આરોપમાં ધરપકડ કરાયેલા સાગર પાલ અને વિકી ગુપ્તા અટકાયત કરાયેલા શંકાસ્પદને તેમની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા હતા અને ઇન્ટરનેટ દ્વારા ફોન કોલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટના બાદ સાગર પાલ અને વિકી ગુપ્તા મુંબઈથી ભાગીને ભુજ ચાલ્યા ગયા અને સુરત નજીક તેઓએ મોબાઈલ ફોનનું સીમ કાર્ડ બદલી નાખ્યું હતું જેનો ઉપયોગ તેઓ વાતચીત માટે કરી રહ્યા હતા.
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન એ બાબત ધ્યાનમાં આવી કે તેઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ તેમના મોબાઇલ ફોનને વારંવાર સ્વિચ ઓફ કરી દેતા હતા. પરંતુ તે હમેશા એક જ નંબર હતો કે જેના પર તેઓએ ફોન કર્યા હતા. અધિકારીએ જણાવ્યું કે હરિયાણાથી પકડીને શંકાસ્પદને મુંબઈ લાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ આ કેસમાં હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, સાગર પાલ અને તેનો સાથીદાર વિકી ગુપ્તા બંનેને ગોળીબાર કરવા માટે કથિત રીતે 4 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, જેમાંથી 1 લાખ રૂપિયા એડવાન્સ તરીકે આપવામાં આવ્યા હતા. પોલીસે દાવો કર્યો કે બંનેને કામ પૂરું થયા બાદ બાકીના પૈસા આપવાનું વચન આપવામાં આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય સલમાન ખાનની હત્યા કરવાનો નહીં પરંતુ તેને ડરાવવાનો હતો.
વધુ વાંચો: સલમાનના ઘર પર ફાયરિંગ કેસમાં વધુ એક શખ્સને પોલીસે દબોચ્યો, સામે આવ્યું બિશ્નોઇ કનેક્શન!
ADVERTISEMENT
માહિતી અનુસાર, અનમોલ બિશ્નોઈનો ઉદ્દેશ્ય શૂટર્સ પાસેથી માત્ર ગોળીબાર કરીને ડર પેદા કરવાનો હતો, સલમાનને મારવાનો કોઈ ઈરાદો નહોતો. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બંને શૂટરોના પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા છે. ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે આ ફાયરિંગ કેસમાં સલમાન ખાનનું નિવેદન પણ નોંધવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ સાક્ષી તરીકે સલમાન ખાનનું નિવેદન નોંધશે. જણાવી દઈએ કે 13 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબારની ઘટના બની હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.