બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બેંકની છેતરપિંડીનો બીજો એક બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ની આગેવાની હેઠળની છ બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂપિયા 411 કરોડની છેતરપિંડી બાદ રામદેવ ઇન્ટરનેશનલના ત્રણ પ્રમોટરો દેશમાંથી છટકી ગયા છે. સીબીઆઈએ તાજેતરમાં જ તેમની સામે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ શનિવારે કહ્યું હતું કે એસબીઆઈએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે તે પહેલાં જ તેઓ દેશ છોડીને ભાગી ગયા હતા.
એસબીઆઈને 173 કરોડનું નુકસાન થયું છે
સીબીઆઈએ તાજેતરમાં પશ્ચિમ એશિયાના દેશો અને યુરોપિયન દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરતી કંપનીના ડિરેક્ટર નરેશકુમાર, સુરેશ કુમાર અને સંગીતા સામે એસબીઆઈની ફરિયાદ સામે કેસ નોંધ્યો હતો. એસબીઆઈનો આરોપ છે કે આ લોકોએ તેમને 173 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
ADVERTISEMENT
ત્રણ ચોખાની મિલો અને આઠ સોર્ટિંગ, ગ્રેડિંગ એકમો
એસબીઆઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કંપની પાસે ત્રણ રાઇસ મિલો, કરનાલ જિલ્લામાં આઠ સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ છે. વ્યવસાય માટે કંપનીની સાઉદી અરેબિયા અને દુબઇમાં ઓફિસો પણ છે. એસબીઆઈ સિવાય જે બેંકો કંપનીને લોન આપે છે તેમાં કેનરા બેંક, યુનિયન બેંક ઑફ ઇન્ડિયા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્ક શામેલ છે.
લોકડાઉનને કારણે હાલમાં દરોડાની કાર્યવાહી નથી
સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હજુ સુધી આ કેસમાં દરોડા પાડવામાં આવ્યાં નથી. તપાસ એજન્સી આ કેસમાં આરોપીઓને બોલાવવાની કાર્યવાહી શરૂ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો આરોપીઓ તપાસમાં સામેલ ન થાય તો તેમની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એસબીઆઈની ફરિયાદ મુજબ, આ કંપનીનું ખાતું 27 જાન્યુઆરી, 2016 ના રોજ નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બન્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.