બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
ઓફિસ (Office) કે ધંધા-રોજગારના સ્થળે કે પછી ઘરે આઠથી નવ કલાક બેસી રહેતા અને શારીરિક પ્રવૃતિ ન કરતા લોકો પર મૃત્યુનું (death) જોખમ (risk) વધે છે તેવો દાવો એક સંશોધનમાં કરાયો છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિધ્ધ એક રિપોર્ટ મુજબ વધુ પડતી બેઠાડુ જિંદગી તમારું આયુષ્ય ઓછું કરે છે. નોર્વેની નોર્વેજિયન સ્કુલ ઓફ સ્પોર્ટ સાયન્સીસની ટીમે સંશોધનમા સામેલ લોકોને તેમના કામના કલાકો દરમિયાન શારીરિક એકટિવિટી ટ્રેક કરવા વેરેબલ ડિવાઇસ પહેરાવ્યા હતાં.
40 વર્ષથી વધુ વયના 36,383 લોકો પર આ પ્રયોગ કરાયો હતો. જેમાં એવું તારણ બહાર આવ્યું હતું કે કોઇપણ ફિઝિકલ એકટિવિટી (શારીરિક પ્રવૃતિ )પછી તેની તીવ્રતા વધારે હોય કે થોડી ઓછી,મૃત્યુંનું જોખમ ઓછું કરે છે. પ્રતિ દિન ઓછામાં ઓછી 24 મિનિટ કે તેથી વધુ ફિઝિકલ એકટિવિટી કરનારના અચાનક મૃત્યુનું જોખમ ખાસ્સું ઘટી જાય
છે. નિષ્ણાતો કહે છે કે રેગ્યુલર એકસર્સાઇઝ ન કરી સકતા હોય તો પણ કોઇપણ રીતે ફિઝિકલી એકટિવ રહેવું જોઇએ.
ADVERTISEMENT
કલાકો સુધી બેઠા બેઠા કામ કરવું પડતું હોય તેમણે વધુ નહીં તો દર અડધો કલાક કે કલાકે ઉભા થઇને થોડા આંટાફેરા કરવા જોઇએ અને થોડી વાર ઉભા રહેવું જોઇએ. આ પ્રયોગના પરિણામોથી એવું રસપ્રદ તારણ પણ નીકળ્યું છે કે ફીટ રહેવા માટે બહુ વધુ પડતી એકસર્સાઇઝ કરવી પણ જરુરી નથી. ફકત એટલું જ કરો કે કામ કે કામ વિના સતત બેસી રહેવાની ટેવ હોય તો તે બદલવાની જરુર છે. સતત લાંબો સમય બેસવાનું થાય તો કંઇ નહીં તો થોડી થોડી વારે પોઝિશન બદલો અને ખાસ કરીને પગને આગળ પાછળ કરીને તેની મુવમેન્ટ કરતા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.