બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Raghuram Rajan advised the government, pressing every review is harmful to the government
Last Updated: 01:29 PM, 24 October 2019
ADVERTISEMENT
દરેક ટીકાને દબાવવી સરકાર માટે હાનિકારક છે
ભારતીય રિઝર્વ બેંક(RBI)નાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બુધવારે કહ્યું હતું કે ભારતમાં સરકારને વિશેષજ્ઞોની સલાહનો ફાયદો મળી શકે તેમ છે. જોકે દરેક ટીકાને દબાવવી સરકાર માટે હાનિકારક છે. લંડનની કિંગ કૉલેજનાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં રાજન હાલ ધીમી પડેલી ભારતીય અર્થવ્યવસ્થાં અને વધતી જતી બેરોજગારીની વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાં માટે ચર્ચા કરી રહ્યાં હતાં.
ADVERTISEMENT
રાજને કહ્યું, તમે પ્રતિક્રિયા નથી સાંભળી રહ્યાં
રાજને કહ્યું હતું કે , જે સમસ્યા છે તેમાંથી એક સમસ્યા એ છે કે, 'હું દ્રઢ પણે કહું છું કે ટીકાને દબાવવાનો સીધો મતલબ એ છે કે તમે પ્રતિક્રિયા નથી સાંભળી રહ્યાં અને જો તમે પ્રતિક્રિયાં નથી સાંભળી રહ્યાં, તો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નહી લઈ શકો. તેમણે એમ પણ કહ્યું હતું કે 'એટલાં માટે જ તમામ સમીક્ષોને કહેવું છે કે, તેઓ સરકારની ટીકા ન કરે. મને લાગે છે કે, સરકાર માટે આ યોગ્ય નથી. બની શકે કે, દરેક તમારા વખાણ કરે અને દર બીજી વ્યક્તિ તમને મસીહા ગણાવે પણ તેનાથી એવી કોઈ ઉર્જા ઉત્પન્ન નથી થવાની જે સરકાર પોતાનામાં ઈચ્છે છે.'
ADVERTISEMENT
સરકાર અર્થશાસ્ત્રીઓની સલાહ લે
રાજને RBIનાં પોતાના કાર્યકાળ દરમિયાન ઊભી થયેલી સ્થિતિનું ઉદાહરણ આપતાં કહ્યું કે,'તેમને ખાનગી ક્ષેત્રની ટીકાનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણે તેમને સુધારાવાદી પગલાં ભરવામાં સફળતાં મળી હતી.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'મને આશા છે કે સરકાર સાંભળશે અને જોશે કે તેમણે શું કરવું જોઈએ. ભારતમાં ઘણાં અર્થશાસ્ત્રી અને બુદ્ધિમાન લોકો છે. જે સલાહ આપી શકે છે. પરંતુ એ મહત્વનું છે કે સરકાર તેમની સલાહને અપનાવે અને તેનાં પર વિચાર વિમર્શ કરી પગલાં ભરે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.