બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:00 PM, 8 August 2025
મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલું માતંગેશ્વર મહાદેવ મંદિર એક પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળ છે. માતંગેશ્વર મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિરમાં સ્થિત શિવલિંગ જમીનમાં 9 ફૂટ અંદર છે અને બહાર પણ એટલું જ છે. મદિરમાં હાજર આ શિવલિંગની લંબાઈ દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે એક ઇંચ વધે છે. મંદિરના અધિકારીઓ દર વર્ષે તેનું માપ લે છે. મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ, દર વર્ષે કાર્તિક મહિનામાં શરદ પૂર્ણિમાના દિવસે શિવલિંગની લંબાઈ એક તલ જેટલી વધે છે.
ADVERTISEMENT

મંદિરની વિશેષતા એ છે કે શિવલિંગ જેટલું ઉપર તરફ ખસે છે તેટલું નીચે તરફ પણ ખસે છે. આ મંદિર આખું વર્ષ ભક્તોથી ભરેલું રહે છે. શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભારે ભીડ રહે છે. માતંગેશ્વર મહાદેવ મંદિરમાં સ્થિત ભગવાન શિવનું દિવ્ય શિવલિંગ જીવંત માનવામાં આવે છે. આ વિશ્વનું એકમાત્ર શિવલિંગ છે જેની લંબાઈ હજુ પણ વધી રહી છે. પર્યટન વિભાગના કર્મચારીઓ શિવલિંગની લંબાઈ માપવા માટે માપન ટેપનો ઉપયોગ કરે છે.
ADVERTISEMENT

માતંગેશ્વર મહાદેવ મંદિર 35 ફૂટના ચોરસ વિસ્તારમાં આવેલું છે. તેનું ગર્ભગૃહ પણ ચોરસ છે. પ્રવેશદ્વાર પૂર્વ તરફ છે. મંદિરનું શિખર બહુમાળી છે. તેનું બાંધકામ 900 થી 925 ઈ.સ.ની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ચંદેલ શાસક હર્ષદેવના સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં એક વિશાળ શિવલિંગ છે જે 9 ફૂટ ઊંચું છે. તેનો પરિઘ લગભગ ૪ ફૂટ છે. લોકો આ શિવલિંગને મૃત્યુંજય મહાદેવના નામથી પણ ઓળખે છે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: 'જૂની બોટલમાં નવો દારૂ...' રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો પલટવાર
આ મંદિર વિશે શું માન્યતા છે?
ADVERTISEMENT
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવ પાસે એક વાદળી રંગનું રત્ન હતું, જે શિવે યુધિષ્ઠિરને આપ્યું હતું. યુધિષ્ઠિર પાસેથી આ રત્ન માતંગ ઋષિ પાસે પહોંચ્યું અને તેમણે તે રાજા હર્ષવર્મનને આપ્યું. માતંગ ઋષિના રત્નને કારણે તેનું નામ માતંગેશ્વર મહાદેવ પડ્યું, કારણ કે સલામતી માટે આ રત્નને શિવલિંગની વચ્ચે જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ત્યારથી આ રત્ન શિવલિંગની નીચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.