બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 500 અને 1000ની જુની નોટ બદલવા પર RBIનો નવો નિયમ, જાણો શું છે સત્ય
Last Updated: 04:39 PM, 20 April 2026
સોશિયલ મીડિયા પર જૂની 500 અને 1000 ની નોટો વિશે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે RBI એ જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. એવામાં PIB ફેક્ટ ચેકે આ દાવાને સંપૂર્ણ રીતે ખોટો જાહેર કર્યો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટતા કરી છે કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. RBI એ ન તો કોઈ નવા નિયમો જાહેર કર્યા છે કે ન તો તેને જૂની નોટો બદલવા માટે કોઈ તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT
RBI એ તાજેતરમાં કોઈ જાહેરાત કરી નથી જેમાં જનતાને જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બદલવાની મંજૂરી આપવામાં આવી હોય.આથી આવા મેસેજ, WhatsApp ફોરવર્ડ્સ કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર વિશ્વાસ કરવો ખોટું ગણાશે. સચોટ માહિતી માટે હંમેશા RBI ની સત્તાવાર વેબસાઇટ કે વિશ્વસનીય સરકારી સ્ત્રોતો પર આધાર રાખો.
ADVERTISEMENT
Has RBI really announced 'new rules' for exchanging old ₹500 & ₹1000 notes❓
— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2026
Some news reports claim that the Reserve Bank of India (@RBI) has issued new guidelines to exchange discontinued currency notes.#PIBFactCheck
❌ This claim is FAKE!
❌RBI has made NO such… pic.twitter.com/8ph2mlCrLT
ઉલ્લખનીય છે કે, 8 નવેમ્બર 2016 ના રોજ ભારત સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ચલણમાંથી પાછી ખેંચી લીધી હતું. આ પગલું 2016 માં ભારતમાં નોટબંધી તરીકે ઓળખાય છે. આ નિર્ણયનો હેતુ કાળા નાણાંને કાબૂમાં લેવા, નકલી નોટોને કંટ્રોલ કરવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવાનો હતો. ત્યારબાદ નવી 500 અને 2000 રૂપિયાની નોટો જાહેર કરવામાં આવી હતી. હવે 2000 રૂપિયાની નોટ પણ તબક્કાવાર બંધ કરવામાં આવી છે.
ADVERTISEMENT
જો તમને લાગે છે કે કોઈ સમાચાર વીડિયો કે વાયરલ પોસ્ટ ફેક છે તો તમે તેને PIB ફેક્ટ ચેક ટીમને WhatsApp દ્વારા મોકલી શકો છો. જેમાં +91 8799711259 કે ઇમેઇલ: [email protected] પર મોકલવાનું રહેશે.
ADVERTISEMENT
જો તમને બેંકનોટ/સિક્કાના ટ્રાન્જેક્શનમાં કોઈ સમસ્યા આવે અને બેંક 30 દિવસની અંદર તેનું નિરાકરણ ન કરે તો તમે રિઝર્વ બેંક - સંકલિત લોકપાલ યોજના 2021 હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો. તમારે ફરિયાદ પોર્ટલ https://cms.rbi.org.in દ્વારા તમારી ફરિયાદ ઓનલાઈન નોંધાવવી પડશે.
ADVERTISEMENT
RBI અનુસાર નવી 500 ની નોટમાં અનેક સુરક્ષા ફીચર્સ છે, જેમાં 45° ના ખૂણા પર જોવામાં આવે ત્યારે "500" ની લેટેન્ટ ઈમેજ દેખાય છે. સિક્યોરીટી થ્રેડ લીલાથી વાદળી રંગમાં બદલાય છે. મહાત્મા ગાંધીની તસવીર અને વોટરમાર્ક હોય છે. "RBI," "INDIA," અને "RBI500INDIA" જેવા નાના અક્ષરો સ્પષ્ટપણે દેખાય છે. ઓછી દ્રષ્ટિ ધરાવતા લોકો માટે, છાપકામ ઊંભરેલુ કરવામાં આવ્યું છે, જે આંગળીના ટેરવું ટચ કરીને અનુભવી શકાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.