બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 29 May 2021
ADVERTISEMENT

RBIએ કર્યો નિર્ણય
100 રૂપિયાની નોટમાં પણ ઘણા બદલાવ થયા છે. સાઇઝથી લઇને કલર સુધીના બદલાવ આપણે સ્વિકાર્યા છે. હવે 100 રૂપિયાની નોટ બદલાઇ જશે. તે વધારે ચમકદાર હશે અને RBIએ કહ્યું છે કે, 100 રૂપિયાની નોટમાં વાર્નિશ લાગશે. હાલમાં તેને ટ્રાયલ બેઝ પર બહાર લાવવામાં આવશે.
ADVERTISEMENT
આવી નોટ પાછળ શું કારણ
આ પ્રકારની નવી નોટ પાછળનું કારણ છે કે તે ટકાઉ છે. આવી નોટથી છેતરપિંડીની ઘટનાઓ ઓછી થશે. લોકો નકલી નોટ લઇને તેને વટાવી દેતા હતા પરંતુ આ નોટની નકલ નહી કરી શકે. એક બીજુ કારણ તે પણ છે કે અત્યારે આપણે જે નોટ યુઝ કરીએ છીએ તે જલ્દી ફાટી જવાની બિક રહે છે અને જો કપડા સાથે ધોવાઇ જાય તો ફાટી પણ જાય છે અંતે તમારુ 100 રૂપિયાનું નુકસાન થાય છે. ફાટેલી નોટોને રિપ્લેસ કરવી પડે છે અને તેમાં વધારે રૂપિયા ખર્ચાય છે. માટે પ્લાસ્ટિકની નોટ લાવવાનો વિચાર RBI કરી રહી છે.
ફાટશે નહી આ નોટ
ફીલ્ડ ટ્રાયલ જો સફળ રહેશે તો આ નોટને ધીરે ધીરે માર્કેટમાં લાવવામાં આવશે અને જૂની નોટોને હટાવી લેવામાં આવશે. તેની જગ્યાએ નવી અને વધુ ચમકદાર નોટ આવશે.
ADVERTISEMENT
વાર્નિશવાળી આ નોટો વિશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં વાત કરી છે. તેમણે પોતાના પ્લાનમાં વાર્નિશવાળી નોટને પણ સ્થાન આપ્યુ છે.

ADVERTISEMENT
નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૂર નથી કારણકે તે જલ્દી ફાટશે નહી. પાણીમાં જલ્દી ઓગળશે નહી અને વાર્નિશ પેન્ટના કારણે તે લાંબો સમય નવી જ રહેશે.
વાર્ષિક રિપોર્ટમાં શું કહ્યું
વાર્ષિક રિપોર્ટમાં RBIએ કહ્યું છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નકલી નોટોની સંખ્યામાં વધારો થયો છે. 10ની નકલી નોટ 20.2 ટકા, 20ની નકલી નોટ 87.2 ટકા, 50ની નકલી નોટ 57.3 અને 500 તેમજ 2000ની નકલી નોટ પણ સામે આવી છે. 2000ની નકલી નોટમાં 21.9 ટકા વધારો થયો છે. આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે બેન્કે નવી નોટનો વિચાર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.