બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / બિઝનેસ / RBI Governor Shaktikanta Das said 2000 notes are legal, We are withdrawing the its circulation only
Vaidehi
Last Updated: 01:10 PM, 22 May 2023
2000 રૂપિયાની નોટનું સર્ક્યુલેશન બંધ થવા પર RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે RBIનો 2000 રૂપિયાની નોટ લાવવાનો ઉદેશ્ય પૂર્ણ થઈ ગયો છે. સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા અંતર્ગત 2000 રૂપિયાની નોટ બદલવામાં અને જમા કરવામાં આવશે. બેંકોને તેના માટે તૈયાર રહેવા આદેશો આપવામાં આવ્યાં છે.
VIDEO | "We are withdrawing the Rs 2,000 currency notes from circulation but they continue to be legal tender," says RBI Governor Shaktikanta Das. pic.twitter.com/xAZfKNibql
— Press Trust of India (@PTI_News) May 22, 2023
'ચિંતા ન કરો, નોટ લીગલ જ છે'- શક્તિકાંત દાસ
તેમણે કહ્યું કે નોટને બદલવા માટે લોકોએ બેંકમાં ભીડ લગાડવાની કોઈ જરૂર નથી. અમે 4 મહિનાનો સમય આપ્યો છે. તમે આરામથી નોટ બદલો. પરંતુ આ સમયસીમાને ગંભીરતાથી લેવું. આગળ જણાવ્યું કે ડેડલાઈન 30 સપ્ટેમ્બર પછી પણ 2000ની નોટ લીગલ જ રહેશે. હાલમાં માત્ર સર્ક્યુલેશન બંધ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
જણાવ્યું આ કારણ
RBI ગવર્નરે કહ્યું કે નોટબંધીનાં સમયે 500 અને 1000ની જૂની નોટોને રિપ્લેસ કરવા માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. હવે RBIનો ઉદેશ્ય પૂર્ણ થયો છે. હવે બજારમાં વધુ વેલ્યૂની નોટોની આવશ્યકતા ન હોતાં તેને ચલણની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી તેને સરળતાથી બેંકમાં જમા અથવા તો એક્સચેન્જ કરાવી શકાશે. તેમણે કહ્યું કે ભારતની કરેંસી મેનેજમેન્ટ સિસ્ટમ ઘણી મજબૂત છે. 500 રૂપિયાની વધારે નોટો લાવવાનો નિર્ણય જનતાની માંગ અનુસાર લેવામાં આવશે.
VIDEO | "The circulation of Rs 2,000 currency notes has come down from its peak of Rs 6,73,000 crore to about Rs 3,62,000 crore, i.e. by about 50 per cent," says RBI Governor Shaktikanta Das. pic.twitter.com/z5Q1ojEJEm
— Press Trust of India (@PTI_News) May 22, 2023
ક્લીન નોટ પોલિસી
RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવું એ ક્લીન નોટ પોલિસીનો એક ભાગ છ અને તેને RBIનાં કરેન્સી મેનેજમેન્ટ સિસ્ટમનો જ એક ભાગ માનવામાં આવે છે. નોટ બદલવા માટે જે પણ મુશ્કેલીઓ આવશે તેને RBI સાંભળશે અને મદદ કરશે. જનતાને કોઈ તકલીફ ન પડે તેની ધ્યાન રાખવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime