બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Ram Navami Program Ram Mandir Ayodhya live telecast know about arrangement

અયોધ્યા / રામનવમી પર ઘરે બેઠા થશે રામલલાના દર્શન, રામ જન્મોત્સવ માટે થઈ રહી છે ખાસ તૈયારીઓ

Vidhata

Last Updated: 03:35 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ નવમીનો તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવશે. અયોધ્યામાં રામ જન્મોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વખતે 500 વર્ષ બાદ રામ મંદિરમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.

9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દુર્ગા નવમી અને રામ નવમીનો તહેવાર 17 એપ્રિલે ઉજવવામાં આવશે. આ વખતે રામ નવમીનો અવસર અયોધ્યા (Ayodhya) માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 500 વર્ષ બાદ રામ મંદિર (Ram Mandir) માં રામ જન્મોત્સવ (Ram Janamotsav 2024) ધામધૂમથી ઉજવવામાં આવશે. રામ જન્મોત્સવની ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્ર ઘરે બેઠેલા ભક્તોને પણ રામલલાના દર્શન કરાવશે.

કાર્યક્રમનું જીવંત પ્રસારણ

રામ મંદિરનું વહીવટીતંત્ર રામ નવમીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. આ માટે એક બેઠક પણ યોજાઈ હતી, જે બાદ ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભક્તોની સુવિધા માટે ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે પ્રસાર ભારતી રામ મંદિર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. શહેરમાં 100 થી વધુ સ્થળોએ એલઇડી ટીવીની વ્યવસ્થા કરવામાં આવશે. લાઇવ ટેલિકાસ્ટ દ્વારા રામ ભક્તો ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકશે. ઉપરાંત ગરમીને ધ્યાનમાં રાખીને અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા

દિવસેને દિવસે ગરમી વધી રહી છે. ગરમીથી બચવા માટે રામ મંદિર (Ram Mandir) પરિસરની આસપાસ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગરમ જમીનથી બચવા માટે મેટ પાથરવામાં આવશે. 50 થી વધુ સ્થળોએ પીવાના પાણી અને ORS પાવડરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વધારવામાં આવશે દર્શનની લાઇન 

ચંપત રાયે જણાવ્યું કે હાલમાં રામલલાના દર્શન માટે 4 લાઇનો લગાવવામાં આવી રહી છે. ભક્તોની વધતી જતી સંખ્યાને જોતા 7 લાઈનોની વ્યવસ્થા કરવામાં આવશે.

વધુ વાંચો: ચૈત્રી નવરાત્રિ પર બની રહ્યો છે 5 રાજયોગનો અદ્ભુત સંયોગ, જાણો કળશ સ્થાપનનો સમય અને પૂજા વિધિ

બેઠક વ્યવસ્થા

રામલલાના દર્શન કરવા આવતા રામભક્તો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે વધુમાં વધુ લોકોને પ્રસાદ મળે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. ચંપત રાય તમામ ભક્તોને વિનંતી કરે છે કે તેઓ તેમના ઘરે રામનવમી ઉજવે અને ઘરે બેસીને જીવંત પ્રસારણ દ્વારા રામલાલાના દર્શન કરે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ