બ્રેકિંગ ન્યુઝ
આ મંત્રના પ્રભાવથી દેવી લક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. અહીં આપણે જાણીએ કે રાખડીનું શું પૌરાણિક મહત્વ છે. કેવી રીતે બન્યો આ મંત્ર અને શું છે તેનો અર્થ.
ADVERTISEMENT
રાખડી બાંધતા સમયે બોલવામાં આવે છે આ મંત્ર
'યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલ: તેન ત્વામ પ્રતિબદ્ધનામિ રક્ષે માચલ માચલ:' રક્ષાબંધનનો આ એક નાનો મંત્ર છે. જેને ચારથી પાંચ વાર વાંચી તમે યાદ કરી શકો છો. આ મંત્રને પુરોહિત યજમાનને રાખડી બાંધતા સમયે બોલે છે.
ADVERTISEMENT

રાખડીનો મંત્રનો અર્થ
ADVERTISEMENT
રાખડીના મંત્રનો અર્થ છે કે, 'જે રક્ષાસૂત્રથી મહાન શક્તિશાળી દાનવેન્દ્ર રાજા બલિને બાંધવામાં આવ્યા હતા, એ જ રક્ષાબંધનથી હું આપને બાંધું છું, જે આપની રક્ષા કરશે. હે રક્ષે! (રક્ષાસૂત્ર) તમે ચલાયમાન ન થાવ, ચલાયમાન ન થાવ.

ADVERTISEMENT
ધર્મશાસ્ત્રના વિદ્વાનો અનુસાર તેનો અર્થ છે કે રક્ષાસૂત્ર બાંધતા સમયે બ્રાહ્મણ અથવા પુરોહિત પોતાના યજમાનને કહે છે કે જે રક્ષાસૂત્રથી દાનવોના મહાપરાક્રમી રાજા બલિ ધર્મના બંધનમાં બાંધવામાં આવ્યા હતા અર્થાત ધર્મમાં બાંધવામાં આવ્યા હતા. એ જ સૂત્રથી હું આપને બાંધું છું, એટલે કે ધર્મ માટે પ્રતિબદ્ધ કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.