બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / કેદી નંબર 2096થી ઓળખાશે મનસુખ સાગઠીયા, રાજકોટ અગ્નિકાંડનો આરોપી જેલ હવાલે

કાર્યવાહી / કેદી નંબર 2096થી ઓળખાશે મનસુખ સાગઠીયા, રાજકોટ અગ્નિકાંડનો આરોપી જેલ હવાલે

Last Updated: 11:37 AM, 10 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ અગ્નિકાંડનો આરોપી મનસુખ સાગઠીયા જેલ ભેગો થઈ ગયો છે. હવેથી મનસુખ સાગઠીયા કેદી નંબર 2096થી ઓળખાશે. જેલમાં પણ મનસુખ સાગઠીયા પર નજર રાખવામાં આવશે.

રાજકોટ: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે હવે એક બાદ એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિ કાંડનો મુખ્ય આરોપી સાગઠીયાને હવે જેલ હવાલે કરાયો છે. જેલમાં સાગઠીયા ટીપીઓ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. સાગઠીયા પાસેથી પૈસા પડાવવા મામલે જેલની અંદરના કેદી અંગે પણ તપાસ કરાશે. જેલની અંદર સાગઠીયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી કરાશે.

ગયા મહિને જ રાજકોટ અગ્નિકાંડમાં RMCના 4 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડોની બેનામી સંપત્તિના માલિક મનસુખ સાગઠિયાને પણ ફરજ મુક્ત કરી દેવામાં આવ્યો હતો. અગાઉ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સંડોવાયેલા સસ્પેન્ડેડ મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને સાગઠીયા સાથે સંકળાયેલ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.

PROMOTIONAL 10

રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલીક એસીબીની ટીમ દ્વારા રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠીયાની ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફિસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરતા ત્યાંથી 5 કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતનાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમજ એસીબીને 3 જેટલા બોક્સમાંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યનાં દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક અધિકારી સસ્પેન્ડ, રેકર્ડમાં કરેલી છેડછાડ

રાજકોટના TRP ગેમઝોનનો અગ્નિકાંડમાં 30-30 નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ હતી. ત્યારે આ કેસ સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ થઈ રહ્યા છે અને તંત્ર આ માટે તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લઈ રહ્યું છે. ત્યારે આ કેસમાં મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાને જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે અને જેલમાં પણ તેના પર ચાંપતી નજર રાખવામાં આવશે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Sagathiya TRP Game Zone Tragedy Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ