બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / કોંગ્રેસના નેતાઓએ રાજકોટ ઘટના સ્થળની મુલાકાત કરી, શક્તિસિંહ હકીકત અંગે બોલ્યા
Last Updated: 08:44 PM, 26 May 2024
રાજકોટ ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને લઇ કોંગ્રેસ નેતાઓ રાજકોટમાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ TRP ગેમઝોનના ઘટના સ્થળની મુલાકાત લઈ વિગતો મેળવી હતી.
ADVERTISEMENT
અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ: શક્તિસિંહ ગોહિલ
ADVERTISEMENT
મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ એક દુઃખદ ઘટના હોવાથી વિશેષ કહેવું નથી. નજરે જોનારા લોકો પાસેથી સત્ય હકીકત મેળવ્યા બાદ કોંગ્રેસ પ્રતિક્રિયા આપશે. હાલ અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ. રાજકીય રીતે આ બાબત જોવા નથી આવ્યા પણ જવાબદાર વિરોધપક્ષ તરીકે ક્ષતિ રહી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માગ છે.
વાંચવા જેવું: રાજકોટ ગેમઝોન બની ગયું ડેથઝોન ! 5 મૃતદેહોના DNA થયા મેચ, પરિવારને સોંપાશે મૃતદેહો
ક્યારે અટકશે અગ્નિકાંડનો આવો સિલસિલો ?
રાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. વચેટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગેમઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.