બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની હોસ્ટેલમાં 9 વર્ષની બાળકીનું મોત, પરિવારનો ગંભીર આક્ષેપ
Last Updated: 11:56 AM, 25 June 2026
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા હોસ્ટેલમાં બનેલી એક દુઃખદ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. 9 વર્ષની આયુષી બદલાણીયાના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ સંચાલકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર આયુષી છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતી, છતાં હોસ્ટેલ સંચાલકોએ સમયસર યોગ્ય સારવાર કરાવી નહોતી. આ ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આયુષી છેલ્લા 15 દિવસથી બીમાર હતી. આ દરમિયાન તેની તબિયત સતત ખરાબ થઈ રહી હોવા છતાં હોસ્ટેલ સંચાલકો દ્વારા તેને દવાખાને લઈ જવામાં આવી નહોતી. સૌથી ગંભીર બાબત એ છે કે બાળકીની તબિયત અંગે પરિવારને પણ સમયસર જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે માતા-પિતા પોતાની દીકરીની સ્થિતિ વિશે અજાણ રહ્યા હતા.
ADVERTISEMENT
પરિવારના જણાવ્યા મુજબ જ્યારે આયુષીની તબિયત વધુ લથડી ગઈ ત્યારે જ તેમને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ફોન મળ્યા બાદ પિતાએ તાત્કાલિક સારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે સૂચના આપી હતી. જોકે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સારવાર દરમિયાન આયુષીનું મોત થઈ ગયું હતું. આ દુઃખદ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે પિતા રાજકોટ પહોંચે તે પહેલાં જ તેમની દીકરીએ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
ADVERTISEMENT
દીકરીના મોત બાદ પરિવારજનોએ હોસ્ટેલ અને ટ્યુશન સંચાલકો સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમના કહેવા મુજબ જો સમયસર સારવાર કરાવવામાં આવી હોત અને પરિવારને યોગ્ય સમયે જાણ કરવામાં આવી હોત તો કદાચ આયુષીનો જીવ બચી શક્યો હોત. પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરી છેલ્લા 10 દિવસથી વધુ ગંભીર રીતે બીમાર હતી, છતાં સંચાલકો દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘટનાને લઈને પરિવારજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. તેઓ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ દીકરીનો મૃતદેહ સ્વીકારશે નહીં. આ માંગને લઈને સ્થાનિક સ્તરે પણ ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ ચેતવણી આપી છે કે જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.