બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / શું રાઘવ ચઢ્ઢા નવી Gen-Z પાર્ટી બનાવશે? AAP સાથેના તણાવ વચ્ચે એક ઇન્સ્ટાગ્રામ રીલે અટકળો ફેલાવી
Last Updated: 11:34 PM, 9 April 2026
આમ આદમી પાર્ટી અને સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચેનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવી રહ્યો છે. તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ રીલમાં રાઘવ ચઢ્ઢાને પોતાની નવી 'Gen-Z' પાર્ટી બનાવવાની સલાહ આપવામાં આવી હતી, જેનો પ્રતિસાદ આપતા તેમણે તેને એક રસપ્રદ વિચાર ગણાવ્યો છે. પાર્ટીએ તાજેતરમાં જ તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા છે અને તેમના પર પંજાબના મુદ્દાઓ પર નિષ્ક્રિય રહેવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાની યુવાઓ વચ્ચે વધતી લોકપ્રિયતા અને તેમના સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભાષણોએ આ નવી પાર્ટીની અટકળોને વધુ વેગ આપ્યો છે.
ADVERTISEMENT
બુધવારે રાઘવ ચઢ્ઢાએ 'Seedhathok' નામના જાણીતા કન્ટેન્ટ ક્રિએટરની એક રીલ શેર કરી હતી, જેમાં ક્રિએટર રિહાને દાવો કર્યો હતો કે દેશના યુવાનો ઈચ્છે છે કે રાઘવ ચઢ્ઢા પોતાની અલગ પાર્ટી બનાવે. આ રીલમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે જો તેઓ બીજી કોઈ પ્રસ્થાપિત પાર્ટીમાં જોડાશે તો કદાચ તેમને અત્યારે મળી રહ્યો છે તેવો પ્રતિસાદ નહીં મળે, પરંતુ પોતાની અલગ પાર્ટી દ્વારા તેઓ યુવાનોના અવાજ તરીકે ઉભરી શકે છે. આ રીલને 11 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા હેન્ડલ પરથી હજારો લાઈક્સ મળી છે. રાઘવ ચઢ્ઢાએ જ્યારે આ વિચારને "Interesting thought" કહ્યો, ત્યારે રાજકીય વિશ્લેષકોએ તેને માત્ર મજાક નહીં પણ ભવિષ્યના કોઈ મોટા પરિવર્તનના સંકેત તરીકે જોવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT

આ અટકળો એવા સમયે વહેતી થઈ છે જ્યારે આમ આદમી પાર્ટીમાં રાઘવ ચઢ્ઢાનું કદ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાય છે. પાર્ટીએ રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્થાને સાંસદ અશોક કુમાર મિત્તલની નિમણૂક કરી છે. આ નિર્ણય બાદ સંજય સિંહ, આતિશી અને સૌરભ ભારદ્વાજ જેવા વરિષ્ઠ નેતાઓએ રાઘવ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ સંસદમાં પંજાબના મહત્વના પ્રશ્નો ઉઠાવવાને બદલે માત્ર પોતાની અંગત છબી બનાવવામાં વ્યસ્ત છે. આતિશીએ તો ત્યાં સુધી પૂછ્યું કે રાઘવ ચઢ્ઢા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલ પૂછતા કેમ ડરે છે? જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ત્યારે તેઓ વિદેશમાં આંખની સારવાર કરાવી રહ્યા હતા, જેને લઈને પણ પાર્ટીમાં તેમની ટીકા થઈ હતી.
ADVERTISEMENT
પોતાના પર લાગેલા આરોપો સામે રાઘવ ચઢ્ઢાએ પણ મક્કમતાથી જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને પદ પરથી હટાવીને હરાવી શકાય તેમ નથી, પરંતુ માત્ર ચૂપ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પંજાબ અંગેના આક્ષેપોનો જવાબ આપતા તેમણે કહ્યું કે પંજાબ તેમના માટે માત્ર રાજકારણનો વિષય નથી પણ તેમનું ઘર અને જવાબદારી છે. તેમણે સંસદમાં ખેડૂતો માટે કાયદેસરની ગેરંટી, ભગત સિંહને ભારત રત્ન આપવાની માંગ અને નનકાના સાહિબ કોરિડોર જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે તેની પણ યાદ અપાવી હતી. તેમણે વિરોધીઓને સંકેત આપતા કહ્યું કે આ તો માત્ર ટ્રેલર છે અને પિક્ચર હજુ બાકી છે.
આ પણ વાંચો : કળયુગી પુત્રએ કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દીધું, કામધંધા અંગે ટોકવું આધેડને ભારે પડ્યું
ADVERTISEMENT
યુવા સાંસદ તરીકે રાઘવ ચઢ્ઢાની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે. ગિગ વર્કર્સની સમસ્યાઓ, સ્ટુડન્ટ લોન માફી, મેન્સ્ટ્રુઅલ હેલ્થ અને ટેલિકોમ કંપનીઓના વધતા રિચાર્જ દરો જેવા જનરલ અને યુવા લક્ષી મુદ્દાઓ પરના તેમના ભાષણો સોશિયલ મીડિયા પર લાખો લોકો જુએ છે. તેમને 'Gen-Z સાંસદ' તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ આધુનિક પેઢીની સમસ્યાઓને કૂટનીતિક રીતે રજૂ કરવામાં માહિર છે. હવે જ્યારે 'આપ' માં તેમનું સ્થાન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે શું તેઓ ખરેખર નવો રાજકીય પ્રયોગ કરશે? જો રાઘવ ચઢ્ઢા પોતાની પાર્ટી બનાવે તો તે ભારતીય રાજકારણમાં યુવા કેન્દ્રિત રાજનીતિની એક નવી શરૂઆત હોઈ શકે છે.
આ પણ વાંચો : કળયુગી પુત્રએ કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દીધું, કામધંધા અંગે ટોકવું આધેડને ભારે પડ્યું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.