બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kishor
Last Updated: 08:44 PM, 25 October 2023
રાજ્યના ST નિગમના કર્મચારી દ્વારા પડતર પ્રશ્નોને લઇ ફરી એક વખત આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહીસાગર, જામનગર , વડોદરા અને સુરતમાં ST નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાથી લાગુ કરાયેલા પગાર પંચની સુવિધા ST કર્મચારીઓને ન મળતા વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ સરકાર કોઇ માગ પૂરી નહીં થાય તો એક સાથે તમામ કર્મચારીઓ રજા પર ઉતરી વિરોધની ચીમકી આપી હતી.
સામુહિક હડતાલ કરવાની પણ ચીમકી
ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ 19, 950નો લાભ આપવા તથા સિનિયર-જૂનિયર કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર સહિતની માંગ સરકાર સુધી પહોંચાડવા માટે સુરત એસટી વિભાગના કામદારોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 19 જેટલી પડતર માંગોને લઈ કાળી પટ્ટી બાંધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વધુમાં 3 તારીખ બાદ સામુહિક હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
જામનગરમાં ST નિગમના કર્મચારીઓ વિરોધના માર્ગે
તે જ રીતે જામનગરમાં ST નિગમના કર્મચારીઓ પણ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ કાલાવડ નાકા બહાર આવેલ વિભાગીય કચેરી બહાર સૂત્રોચાર કર્યા હતા. વધુમાં 1200 જેટલાં કર્મચારીઓ આજથી એક સપ્તાહ કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. તથા જો કોઈ નિર્ણય નહિ આવે તો 2 તારીખથી STના પૈડાં થંભાવી દેવાની ચિમકી પણ આપી હતી.
વડોદરા એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદોલનના મૂડમાં
આ ઉપરાંત વડોદરા ST વિભાગના કર્મચારીઓ પણ માંગને લઈને લડી લેવાના મૂડમા હોય તેમ પડતર માગણીઓને પગલે ST કર્મચારીઓનો વિરોધ નોંધાવ્યો હતો. રેસકોર્સમાં વિભાગીય કચેરી ખાતે સૂત્રોચાર કરી વડોદરા ડિવિઝનના 1400 જેટલા કર્મચારીઓ આંદોલનમાં જોડાયા હતા.
મહીસાગરના લુણાવાડામાં વિરોધ
વધુમાં મહીસાગરના લુણાવાડામાં ST નિગમના કર્મચારીઓએ માંગ ન પુરી થતા રોષ ઠાલવ્યો હતો. ST વિભાગના કર્મચારીઓએ પડતર માગણીઓ પૂર્ણ કરોના સૂત્ર સાથે પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. વધુમાં પડતર માંગો ન સ્વીકારતા કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર જશે. તે બાબતે તમામ કર્મચારીઓ એક સુર થયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime