બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / નવું મંત્રીમંડળ : દિગ્ગજ કોંગ્રેસીને સ્થાન, 3 યુવા ધારાસભ્યોને તક, હર્ષ સંઘવીને મળી શકે પ્રમોશન

ગાંધીનગર / નવું મંત્રીમંડળ : દિગ્ગજ કોંગ્રેસીને સ્થાન, 3 યુવા ધારાસભ્યોને તક, હર્ષ સંઘવીને મળી શકે પ્રમોશન

Vishal Khamar

Last Updated: 03:14 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવીન પ્રદેશ પ્રમુખ તેમજ પ્રદેશ મહામંત્રીની પીએમ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે દિલ્હીમાં થયેલ મુલાકાત બાદ મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ વેગ પકડ્યો છે. નવા મંત્રી મંડળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાને પણ સ્થાન મળી શકે છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેમજ પ્રદેશ મહામંત્રી તાબડતોબ દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન સાથે પાંચ કલાક મેરેથોન બેઠક ચાલી હતી. પીએમ સાથે બેઠક પૂર્ણ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી.

પક્ષ પલ્ટો કરીને ભાજપમાં ગયેલ ધારાસભ્યોનો નવીન મંત્રી મંડળમાં થશે સમાવેશ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી ગુજરાત આવવા નીકળી ગયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. પીએમ સાથે પાંચ કલાક ચાલેલ મેરેથોન બેઠક બાદ મંત્રી મંડળમાં ફેરફાર થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પક્ષ પલ્ટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલ ધારાસભ્યોને નવીન મંત્રી મંડળમાં સ્થાન મળવાની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોની પડખે ધારાસભ્યનું નામ નવીન મંત્રી મંડળમાં મોખરે

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા મંત્રી મંડળમાં સૌથી મોખરે સહકારી ક્ષેત્રે સારી નામના ધરાવતા તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ હોલ સૌથી મોખરે છે. જયેશ રાદડિયા મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જ્યારે બીજા નંબરે વર્ષોથી કોંગ્રેસમાં રહેલ અને પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જ્યારે સંજય કોરડિયાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કેબિનેટનો દરજ્જો મળવાની પણ પ્રબળ શક્યતાઓ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રની સ્થિતિને ધ્યાને રાખીને મંત્રી મંડળનું વિસ્તરણ-સૂત્ર

તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી મંત્રી મંડળ તેમજ પ્રદેશ પ્રમુખમાં પણ દક્ષિણ ગુજરાતનું વર્ચસ્વ હતું. જેને લઈ સૌરાષ્ટ્રના ભાજપના સીનીયર કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. આ વખતે મંત્રી મંડળનું વિસ્તરણ સૌરાષ્ટ્રની સ્થિતિને ધ્યાને રાખીને કરવામાં આવશે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે સચિવાલયમાં નવો ગણગણાટ, મોટા પદ અંગે નિર્ણયની શક્યતા

નવીન મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રની એક મહિલાનો સમાવેશ

16 તારીખે જ નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. જેમાં મંત્રી મંડળમાં ફેરફારને લઈ અનેક ધારાસભ્યો પોતાનું સ્થાન નવા મંત્રી મંડળમાં મેળવવા માટે સક્રિય થયા છે. નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રની સ્થિતિને જોવા જઈએ તો રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડને સ્થાન મળી શકે છે. અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાલાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. તેમજ હીરા સોલંકીને પણ મંત્રી મંડળમાં સ્થાન મળવાની પૂરે પૂરી શક્યતાઓ છે. તેમજ નવા મંત્રી મંડળમાં એક મહિલા ધારાસભ્યને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાને પણ મંત્રી મંડળમાં સ્થાન મળશે. જ્યારે માંડવી-કચ્છના ધારાસભ્ય અનિરૂદ્ધ દવેનો પણ મંત્રી મંડળમાં સમાવેશ થઈ શકે છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે. ચાવડા અને અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cabinet Expansion New Cabinet Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ