બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:39 PM, 10 April 2023
ADVERTISEMENT
દેશમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન્ચ કરવામાં આવી હતી અને આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એપ્રિલ 2015માં આ યોજના શરૂ થઈ હતી અને આઠ વર્ષમાં 40 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ મેળવ્યો છે. આ સમયગાળા દરમિયાન 23.2 લાખ કરોડની રકમ મુદ્રા લોન તરીકે વિતરિત કરવામાં આવી છે. નવું કામ શરૂ કરવાથી લઈને બિઝનેસને વિસ્તારિત કરવા માટે 50 હજાર રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. મુદ્રા લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની નથી.
આ યોજના હેઠળ જે લોકો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે લોકોને ત્રણ શ્રેણીમાં લોન આપવામાં આવે છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં કુલ 40.82 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે. સૌથી વધુ શિશુ કેટેગરીમાં 33.54 કરોડ લોન આપવાં આવી છે.
ADVERTISEMENT
મુદ્રા લોન કોણ લઈ શકે?
જે પણ ભારતીય બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે મુદ્રા લોન લઈ શકે છે. આ યોજના હેઠળ નાનામાં નાના વેપારીનો વેપાર વિસ્તૃત થાય તે માટે કોઈપણ ગેરંટી વગર નાણાં આપવામાં આવે છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ કોઈપણ બેન્ક, માઈક્રોફાઈનાન્સ કંપની અથવા NBFCમાંથી લોન લઈ શકાય છે.
ADVERTISEMENT
લોન કેવી રીતે મળશે?
બેન્ક અને NBFCમાંથી લોન લઈ શકાય છે. અરજીકર્તાએ મુદ્રા લોન લેવા માટે સામાન્ય જાણકારીની સાથે સાથે બિઝનેસ પ્લાન પણ તૈયાર કરવાનો રહેશે. બેન્ક અરજીકર્તા પાસે પ્રોજેક્ટ સંબંધિત રિપોર્ટ, ભવિષ્યની આવકના અનુમાન સંબંધિત દસ્તાવેજ પણ માંગી શકે છે. લોન માટે બેન્કમાં જઈને અરજી કરવાની રહેશે.
વ્યાજદર
મુદ્રા લોનના વ્યાજદર એકસમાન નથી. તમામ બેન્કના વ્યાજદર અલગ અળગ હોય છે. વ્યાજદર લોનની રકમ અને બિઝનેસની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. બિઝનેસમાં વધુ જોખમ હોય તો વ્યાજદર વધુ હોય છે. સામાન્ય રીતે મુદ્રા લોન વાર્ષિક 10-12 ટકાના વ્યાજદરે મળે છે.
ADVERTISEMENT
મુદ્રા લોન માટે ડોક્યુમેન્ટ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.