બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Malay
Last Updated: 08:33 AM, 28 December 2022
ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટ ચાલી રહી છે ત્યારે ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખીયાને ધરાર પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. રાજુ સખીયાએ પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં 2 પોલીસકર્મીઓને તેમના ઘરે તૈનાત કરાયા છે. મહત્વનું છે કે, ગોંડલ અને રીબડાના વિવાદમાં રાજુ સખીયાએ અનેક વખત નિવેદનો આપ્યા હોવાથી તેમને પોલીસ રક્ષણ અપાયું હોવાની શક્યતાઓ છે.
પોલીસ રક્ષણ ન માંગ્યું હોવા છતાં આપવામાં આવ્યા 2 પોલીસકર્મી
આ અંગે તેઓએ જણાવ્યું કે, મેં પોલીસ રક્ષણ ન માગ્યું હોવા છતાં આજે મંગળવારે બે પોલીસકર્મીઓ ઘરે આવ્યા હતા. જ્યારે મેં તેઓને પૂછતા તેઓએ ઉપરથી આદેશ હોવાનું જણાવ્યું હતું. જેથી મેં ગોંડલના ઈન્ચાર્જ પીઆઈ ઝાલાનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેઓએ કહ્યું હતું કે, અમે સૂચનાઓ મુજબ તમને બે પોલીસમેન ફાળવ્યા છે. તમે ગોંડલ શહેરથી બહાર જાઓ તો પણ તમારે પોલીસને જાણ કરવાની રહેશે. જેથી કરીને પોલીસ વેન તમારી સાથે રક્ષણ માટે આવી શકે.
ગોંડલ અને રીબડાના વિવાદમાં અનેક વખત આપ્યું છે નિવેદન
આપને જણાવી દઈએ કે, ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવી પાટીદાર આગેવાન રાજુ સખીયાએ અનેક વખત બંને વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તાજેતરમાં જ તેઓએ એવું નિવેદન કર્યું હતું કે, જ્યારે જયરાજસિંહ ગોંડલના ધારાસભ્ય હતા, ત્યારે અનિરુદ્ધસિંહ તેમના મિત્ર હતા. આ સમયે પણ રીબડામાં પાણીના ભાવે જમીન પડાવી લેવામાં આવતી હતી. હાલ જ્યારે બંને વચ્ચે માથાકુટ ચાલી રહી છે ત્યારે પાટીદારને બચાવવાની વાતો કરવામાં આવે છે. રાજુ સખીયાનું આ નિવેદન અખબારોમાં પણ પ્રસિદ્ધ થયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh