બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's address in Anand gujarat visit news
Dhruv
Last Updated: 02:37 PM, 10 October 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 4 જિલ્લાઓની મુલાકાતે છે. જેમાં ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરના તેઓ પ્રવાસે છે. ત્યારે PM મોદીએ આજે ભરૂચવાસીઓને રૂપિયા 8200 કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી મોટી ભેટ આપી છે. ત્યાર બાદ PM મોદી અત્યારે આણંદની મુલાકાતે છે.
આણંદમાં વડાપ્રધાન | હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો અનુભવ નહતો, પરંતુ આપણને 25 વર્ષના અનુભવી મુખ્યમંત્રી મળ્યા છે, જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો અનુભવ છે : PM#Anand @PMOIndia @narendramodi pic.twitter.com/PnU73jGPf3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
અહીં PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમાં જાહેર જનસભાને સંબોધી વેળાએ CMના વખાણ કરતા કહ્યું કે, 'હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો અનુભવ ન હતો, પરંતુ આજે આપણું સદભાગ્ય છે કે, આપણને 25 વર્ષના અનુભવી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મળ્યા છે, જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો અનુભવ છે.'
આણંદમાં વડાપ્રધાન | કેસરિયો સાગર હિલોળા લઈ રહ્યો છે, જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે, વટ પાડી દીધો હો : PM#Anand @PMOIndia @narendramodi pic.twitter.com/tHCztJPzDy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
આજે જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે: PM
વધુમાં PM મોદીએ કહ્યું કે, 'કેસરિયો સાગર હિલોળા લઈ રહ્યો છે, આજે જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે, વટ પાડી દીધો હો. ગુજરાતમાં ભાજપ એટલે સૌનો સાથ સૌનો વિકાસ, તમે જેટલો સાથ આપ્યો અમે એટલો વિકાસ આપ્યો.'
આણંદમાં વડાપ્રધાન | એક ભાઈએ કશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો અને સરદાર સાહેબના પદચિહ્ન પર ચાલ્યા અને કશ્મીરની સમસ્યા ઉકેલીને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી : PM#Anand @PMOIndia @narendramodi pic.twitter.com/qGkdAIutyf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
એક ભાઈએ કશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી: PM
આ સિવાય PM મોદીએ અમિત શાહના આડકતરી રીતે વખાણ કરતા કહ્યું કે, 'એક ભાઈએ કશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો અને સરદાર સાહેબના પદચિહ્ન પર ચાલ્યા અને આજે કશ્મીરની સમસ્યા ઉકેલીને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી.'
આણંદમાં વડાપ્રધાન | મારે તમને થોડા સતર્ક કરવા છે, આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય એવું લાગે છે, ઠંડી તાકાતથી ગામેગામ ગોઠવણ કરી રહ્યા છે : PM#Anand @PMOIndia @narendramodi pic.twitter.com/3UHVIt8qeb
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
કોંગ્રેસવાળા બોલતા નથી, પણ ઠંડી તાકાતથી ગામોગામ ગોઠવણું કરી રહ્યાં છે: PM
પીએમએ કહ્યું કે, 'મારે તમને થોડાક સતર્ક કરવા છે, આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય એવું મને પહેલી નજરે લાગે છે. પહેલા તો આ કોંગ્રેસવાળા હાંકલા-પડકારા કરતા કે જોઇ લઇશું, પાડી દઇશું, અને હવે 20 વર્ષમાં પડ્યા નહીં એટલે નવું શરૂ કર્યું એમને. અને એટલે જ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી, પણ ઠંડી તાકાતથી ગામોગામ ગોઠવણું કરી રહ્યાં છે. એમની જે જૂની ચાલાકીઓ છે તેનો બોલ્યાચાલ્યા વિના તેઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. એટલે તમે કોઇ પણ ભ્રમમાં ના રહેતા. સતર્ક રહેજો. આ કોંગ્રેસની નવી ચાલ છે અને બેઠી તાકાતથી એ નીચે ઘૂસવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે. બોલતા નથી, પણ ગામોગામ પહોંચવા માટે ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટીકા નથી કરવી, એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે, કે એમની સભા ન હોતી થઇ, એમની પ્રેસ કોન્ફરન્સ ના થઇ, તો એટલાથી હિસાબ કિતાબ ના કરતા. આથી આવનારી ચૂંટણીમાં સૌએ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઇ મોકો નથી છોડતી. એમને આજે નવી રાજનીતિ અપનાવી છે કે ગામોગામ જઇને લોકોમાં ઝેર ભરવાની. દરેક ચીજનો જુદો અર્થ કરીને લોકોને સમજાવવાની. આને બરાબર પારખી લેજો, આપણે આપણી રણનીતિમાં થોડાક નવા પાસા ઉમેરવા જ પડશે. આથી મને વિશ્વાસ છે કે CR પાટીલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીનો એકએક કાર્યકર્તા કોઇ પણ સંકટને સતર્કતાથી માત કરી દેશે એનો મને પૂરો વિશ્વાસ છે.'
આણંદમાં વડાપ્રધાન | વંદે ભારત ટ્રેનથી ઘણા લોકોને તકલીફ પડી રહી છે, પરંતુ હજી તો સુપર ફાસ્ટ સ્પીડની ટ્રેન આવવાની છે, આપણે અટકવાનું નથી મિત્રો : PM#Anand @PMOIndia @narendramodi pic.twitter.com/FdwCJNPgM8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 10, 2022
PM મોદીએ ટ્રેન અંગે વાત કરતા જણાવ્યું કે, 'વંદે ભારત ટ્રેનથી ઘણા લોકોને તકલીફ પડી રહી છે, પરંતુ હજી તો સુપર ફાસ્ટ સ્પીડની ટ્રેન આવવાની છે, આપણે અટકવાનું નથી મિત્રો.' તદુપરાંત PM મોદીએ કહ્યું કે, 'તમને આશ્રર્ય થશે કે પાંચ માળનું મકાન હોય અને સીડી ન હોય તો? ગુજરાતમાં કેટલાક ડેમ તો અગાઉની સરકારે બનાવ્યા પણ કેનાલ ન બનાવી. આ કામ 20 વર્ષ પહેલાં શરુ કરીને ભાજપ સરકારે પુરુ કર્યું. ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે, ઘરે-ઘરે વીજળી પહોંચાડી છે, ગામડામાં થ્રીફેઝ વીજળી મળવા લાગી છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime