બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dhruv
Last Updated: 10:27 AM, 11 October 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ, જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે.
રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ
PM મોદી ફરીવાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.
ગઇકાલે અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે મહત્વની બેઠક પણ યોજાઇ
તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime