બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / PM Modi will come to Rajkot on October 19

પ્રવાસ / ફરીવાર PM મોદી આવશે ગુજરાત: 19 ઓક્ટોબરે રાજકોટવાસીઓને આપશે કરોડોના વિકાસકાર્યોની દિવાળી ભેટ, યોજાશે ભવ્ય રોડ-શો

Dhruv

Last Updated: 10:27 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણીને ધ્યાને લેતા છેલ્લાં કેટલાય દિવસથી રાજ્યમાં PM મોદીના પ્રવાસ વધી ગયા છે. ત્યારે એકવાર ફરી 19 ઓક્ટોબરે PM મોદી ગુજરાત આવશે.

  • PM મોદી ફરીવાર આવશે ગુજરાતના આંગણે
  • 19 ઓક્ટોબરે રાજકોટમાં યોજાશે ભવ્ય રોડ શો 
  • 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવરજવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ, જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન સહિત અનેક નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એકવખત પીએમ મોદી ગુજરાત આવશે.

રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ

PM મોદી ફરીવાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે. PM મોદી રાજકોટમાં રૂ. 5400 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.

ગઇકાલે અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને આ અંગે મહત્વની બેઠક પણ યોજાઇ

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઇ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, એરપોર્ટથી રેસકોર્સના સભાસ્થળ સુધી રોડ-શો યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરીરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાય એ માટેની પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ