ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાતચીત, સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે ભારત અને સાઉદી એક થયા

નેશનલ / PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાતચીત, સમુદ્રી માર્ગોની સુરક્ષા માટે ભારત અને સાઉદી એક થયા

Last Updated: 06:02 AM, 29 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે ઉર્જા ઠેકાણાઓ પર હુમલા સહન કરી શકાય નહીં અને સમુદ્રી વ્યાપારના રસ્તાઓ સુરક્ષિત રહેવા જોઈએ.

ADVERTISEMENT

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન અને તેલના પુરવઠા પર માઠી અસર પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિમાં પીએમ મોદીએ સાઉદી અરેબિયાના નેતૃત્વ સાથે પ્રાદેશિક સ્થિતિની સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાને જણાવ્યું કે, ઉર્જા મથકો પર થઈ રહેલા હુમલા ચિંતાનો વિષય છે અને તે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. બંને નેતાઓ આ વાત પર સહમત થયા હતા કે આંતરરાષ્ટ્રીય સમુદ્રી વ્યાપાર માટે નેવિગેશનની સ્વતંત્રતા જળવાઈ રહેવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત પીએમ મોદીએ સાઉદી અરેબિયામાં વસતા લાખો ભારતીયોના હિતો અને તેમના કલ્યાણ માટે સતત સહયોગ આપવા બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.

UAE

નોંધનીય છે કે આ અગાઉ મંગળવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ફોન પર લાંબી વાતચીત કરી હતી. 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી. આ ચર્ચામાં મુખ્યત્વે 'હોર્મુઝ સામુદ્રધુની' (Strait of Hormuz) ને ખુલ્લી રાખવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના જંગને કારણે આ વ્યૂહાત્મક માર્ગ પર જહાજોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે મુશ્કેલી ઉભી થઈ છે.

જોકે, આ તણાવ વચ્ચે ઈરાન તરફથી ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના જણાવ્યા મુજબ, હોર્મુઝ સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ નથી. ઈરાને ભારત સહિત પાંચ મિત્ર દેશો ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાનના જહાજોને આ માર્ગ પરથી પસાર થવા માટે "સુરક્ષિત રસ્તો" આપવાની જાહેરાત કરી છે. ઈરાને શરત મૂકી છે કે "બિન-શત્રુતાપૂર્ણ જહાજો" જો ઈરાની સત્તાવાળાઓ સાથે યોગ્ય સમન્વય સાધશે, તો તેમને પસાર થવા દેવામાં આવશે. આ નિર્ણયથી ભારતને તેલના પુરવઠામાં મોટી રાહત મળી શકે તેમ છે.

વધુ વાંચો : રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, જાણો હવે આગળ કેવી રહેશે રૂપિયાની ચાલ

વર્તમાન રાજદ્વારી હિલચાલ દર્શાવે છે કે ભારત આ સંઘર્ષમાં શાંતિ સ્થાપવા અને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવા માટે તમામ પક્ષો સાથે સંતુલિત સંપર્ક જાળવી રહ્યું છે. એક તરફ સૌદી અરેબિયા સાથે ઉર્જા સુરક્ષાની વાત અને બીજી તરફ અમેરિકા તથા ઈરાન સાથે સમુદ્રી માર્ગો ખુલ્લા રાખવાની ચર્ચા, ભારતની મજબૂત વિદેશ નીતિનો પુરાવો છે. પીએમ મોદીની આ સક્રિયતાથી આશા જાગી છે કે ટૂંક સમયમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અથવા તણાવમાં ઘટાડો જોવા મળી શકે છે, જે સમગ્ર વિશ્વ માટે હિતાવહ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SaudiArabia PMModi StraitOfHormuz
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ