બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurated Miyawaki Forest Maze Garden in Ektanagar
Kishor
Last Updated: 08:24 PM, 30 October 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે કેવડિયા ખાતે PM મોદીએ મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યુ હતું. આ દરમિયાન મેઝ ગાર્ડનનું પણ PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીતના અગ્રણીઑ પણ જોડાયા હતા. ત્યારબાદ PM મોદી ઓયો હાઉસ બોટનું લોન્ચિંગ કરશે અને મા નર્મદાની મહાઆરતી પણ કરવામાં આવશે. આવતીકાલે PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બેઠક કરશે.
9 થી10 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવાશે
કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 9 થી10 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું. આ પ્રોજેકટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મિશન લાઈફને લઈને ધરતીને બચાવવા માટે આ મિયાવકી પ્રોજેકટ ઉપયોગી નીવડશે. જેના થકી પૃથ્વી પર કુદરતી વાતાવરણ બનાવી ક્લાઈમેટ ચેન્જની લોકો પર થતી અસર અટકાવવા આ પ્રોજેક્ટો મહત્વનો છે એમ પ્રવાસીઓ પણ માની રહ્યા છે.
મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ
મિયાવકી એ જાપાનીઝ અકિરા પ્રેરિત મિયાવાકી ટેકનીક પ્રોજેકટ છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે. અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20 થી 30 વર્ષનો સમય લાગે છે.
1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા
મિયાવાકી ફોરેસ્ટ અને ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન વિશે વાત કરીએ તો પ્રવાસીઓને પોઝિટિવ એનર્જી મળી રહે એટલા માટે અહીં લગભગ 1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં એવી રીતે છોડ રોપાવામાં આવ્યા છે કે પ્રવાસીઓ આવે તો છોડવાઓની વચ્ચે ભૂલા પડી જાય. જોકે, ત્યાંના ગાઈડ પ્રવાસીઓને બહાર નીકળવામાં ગાઈડ કરશે અને ગાર્ડનની બહાર કાઢશે. વિદેશોમાં અને એડવેન્ચર પાર્કમાં જોવા મળતા વિશાળ ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime