બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Modi has taken a resolution to observe 11-day special rituals ahead of the Pran Pratishtha ceremony

પ્રાણ-પ્રતિષ્ઠા / ફર્શ પર જ સૂવાનું, ભોજન માત્ર સાત્વિક અને આવા વસ્ત્રો: 11 દિવસ PM મોદીએ કયા નિયમોનું કરવું પડશે પાલન

Published By: Vaidehi

Last Updated: 04:57 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીનાં રોજ છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 દિવસ સુધી આ અનુષ્ઠાન માટે વ્રત કરી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી સહિત તમામ 11 મહેમાનોએ આહાર, વિહાર શયન વગેરેનાં યમ-નિયમના 45 કડક વ્રતનું પાલન કરવું પડશે. વાંચો આચારસંહિતમાં કેવા નિયમો લખેલા છે...

  • પ્રાણ-પ્રતિષ્ઠા સુધી PM મોદી સહિત યજમાનો પાળશે આ નિયમો
  • 11 દિવસ સુધી યમ-નિયમનાં 45 વ્રતોનું પાલન કરવું ફરજિયાત
  • પલંગ પર સૂવાની મનાઈ, સિવડાવેલા કપડાં પહેરવાનું પણ ટાળવું પડશે

અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં અનુષ્ઠાન પૂર્ણ થવા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ 11 યજમાનોને આહાર-વિહાર-શયન વગેરેનાં સંબંધમાં 45 વ્રતોનાં નિયમનું પાલન કરવું પડશે. અનુષ્ઠાનનાં પ્રમુખ આચાર્ય કાશીનાં વિદ્વાન પં. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે યજમાનો માટે આ યમ-નિયમની આચારસંહિતા જારી કરી છે. જે અનુસાર પ્રધાનમંત્રી મોદી સહિત તમામ યજમાનોએ 11 દિવસ સુધી સિંધવ નમકવાળા સાત્વિક આહારનું જ સેવન કરવાનું રહેશે.

પલંગ પર સૂવું વર્જિત
PM મોદી દિવસમાં ફળાહાર કરી શકે છે. અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી પલંગ પર સૂવું કે બેસવું વર્જિત છે. લાકડાની તખ્તીનો પ્રયોગ કરી શકે છે. આસનનાં રૂપમાં ધાબળું રહેશે. પલંગ પર સૂવું કે બેસવું, નિયમિત દાઢી બનાવવી, નખ કાપવું વગેરે વર્જિત છે. શક્ય હોય તેટલું મૌન રહેવાનું છે અને નમ્રભાષી રહેવાનો અભ્યાસ કરવાનો છે.

બહારનું જમવાનું બંધ
પં. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા શાસ્ત્રોનાં આલોકમાં આપવામાં આવેલી વ્યવસ્થા અનુસાર તમામ યજમાનોએ દરરોજ સવારે સ્નાન કરવાનું. બહારી ભોજનનો ત્યાગ કરવાનો..ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકારથી મુક્ત રહેવું અને ધ્યાન-સાધનાનાં માધ્યમથી મનને એકાગ્ર રાખવું. સત્યવ્રતનું પાલન કરવું.

વધુ વાંચો: ભારત બહાર વસતા દેશવાસીઓ પણ રામ મંદિરમાં કરી રહ્યાં છે દાન, જાણો ડોનેશનની પ્રોસેસ

સિવડાવેલા કપડાંથી દૂર રહેવાનું
આચાર્ય દ્રવિડ અનુસાર યજમાનોએ આ સમયગાળામાં શક્ય હોય તેટલું સિવેલા કપડાંથી દૂર રહેવું. રેશમી, ઊની કપડાં, ધાબળાં, શાલ - સ્વેટર વગેરે ધારણ કરી શકાશે. સદ્વિચાર, સત્ચિંતનયુક્ત રહેવું. અનુષ્ઠાનનાં સમયમાં હળદર, તેલ, રાઈ, સરસવ, લસણ, ડુંગળી, માંસ, મદિરા, ઈંડા, તેલથી બનેલા પદાર્થ, ગોળ, ચણા વગેરે ખાવાની મનાઈ હોય છે. દવા માટે મનાઈ નથી, ચોખા પણ ખાઈ શકાય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ જ પ્રસાદ ગ્રહણ કરવાનો નિયમ છે.

11 દિવસ નિયમોનું પાલન કરશે PM મોદી
PM મોદીએ શુક્રવારથી જ યમ-નિયમનાં સંકલ્પને લઈને તેનાં પાલનની શરૂઆત કરી દીધી છે. આચાર્ય શાસ્ત્રીએ આ સંબંધમાં પહેલાં જ એક પત્ર મોકલીને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ ગિરિને યજમાનોને આ અંગે જાણકારી આપી દીધી હતી. આ સિવાય વ્રતનું પાલન કરવા માટે શાસ્ત્રો અનુસાર ઓછામાં ઓછા 7 દિવસ એટલે કે 15 જાન્યુઆરીથી નિયમોનું પાલન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir PM modi અયોધ્યા રામ મંદિર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ