બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
PM મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ આજે 4:30 વાગ્યાની આસપાસ ટ્રાન્સ હાર્બર લિંક - MTHL (અટલ સેતુ) નું ઉદ્ઘાટન કરશે. ત્યારે તાજેતરમાં જ તેઓનો પોતું મારતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ નાસિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરમાં સફાઇ કરતા નજરે પડી રહ્યાં છે.
Hon PM Modi Ji took part in Swachhata Abhiyan today at the Kalaram Mandir in Nashik.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 12, 2024
He had also appealed everyone to carry out swachhata activities at temples across the country. @narendramodi #Swachhata #NarendraModi #Maharashtra #Nashik #KalaramMandir pic.twitter.com/sDipE3rMef
ADVERTISEMENT
મંદિરના પ્રાંગણમાં PM મોદી પોતું મારતા નજરે પડ્યાં
ADVERTISEMENT
PM મોદીએ આજે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. ત્યારે તેઓ કાલારામ મંદિરમાં હાથમાં પોતું લઇને સાફ સફાઇ કરી રહ્યાં છે. સાથે લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી રહ્યાં છે. PM મોદીએ સૌ પ્રથમ આ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઇ કરી રહ્યાં છે. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ADVERTISEMENT
રોડ શો ઉપરાંત ગોદાવરી નદીના કિનારે કરી પૂજા-અર્ચના
તદુપરાંત PM મોદીએ આજે સૌ પહેલા નાસિકમાં રોડ શો કર્યો હતો. દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા. રોડ શો બાદ PM મોદીએ ગોદાવરી નદીના કિનારે આવેલા રામકુંડ ખાતે પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ શ્રી કાલારામ મંદિરે જઇ પૂજા-અર્ચના કરી. જ્યાં તેઓએ મંજીરા વગાડી ભજનનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યાર પછી PM મોદીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.