બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi all party meeting covid 19 situation

ચર્ચા / આગામી સપ્તાહોમાં જ વૅક્સિન મળવાની સંભાવના, કિંમત માટે રાજ્ય સરકારો સાથે ચાલી રહી છે વાત : PM મોદી

Divyesh

Last Updated: 02:05 PM, 4 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મુદ્દે યોજાયેલી સર્વદળીય બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વેક્સીનને લઇને મહત્વપૂર્ણ વાત કહી છે.પીએમ મોદીએ કહ્યું કે વેક્સીન માટે લાંબો સમય રાહ જોવી નહી પડે. આગામી થોડા જ સપ્તાહોમાં વેક્સીન મળવાની સંભાવના છે. રસીકરણ માટે આપણી પાસે સારી વ્યવસ્થા છે.

વેક્સીનની કિંમત મુદ્દે પીએમ મોદીનું નિવેદન

પીએમ મોદીએ સર્વદળીય બેઠક બાદ વેક્સીન આપવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તે સાથે વેક્સીનન કિંમતને લઇને જણાવ્યું કે વેક્સીનની કિંમતને લઇને રાજય સરકારો સાથે વાતચીત ચાલુ છે. પીએમ મોદીએ વેક્સીનની કિંમતને લઇને કહ્યું કે લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય દેશો કરતાં કોરોનાથી મૃત્યુદર ખૂબ નીચો છે. કોરોનાને લઇને ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ભારતે લાંબી યાત્ર કરી. કોરોના વેક્સીન પહેલા વૃદ્ધોને આપવામાં આવશે. કોરોના વેક્સિન માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. 

  • ભારતની પોતાની 3 અને અન્ય દેશની 5 એમ 8 રસીઓનું ઉત્પાદન ભારતમાં થવાનું છે
  • ભારતમાં બનનારી સસ્તી અને સૌથી સુરક્ષિત રસી પર વિશ્વની નજર છે
  • હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર, ગંભીર બીમારીથી ઝુઝતા લોકોને રસી સૌથી પહેલા અપાશે
  • ભારતે રસીના મેનેજમેન્ટ માટે વિશેષ સોફ્ટવેર COVIN બનાવ્યું 
  • COVIN સોફ્ટવેરમાં કોરોનાના લાભાર્થી, સ્ટોકની રીઅલ ટાઈમ માહિતી હશે
  • ભારતમાં રસીના રિસર્ચમાં જોડાયેલા લોકોનો વિશેષ ટાસ્ક ફોર્સ બનાવ્યો છે
  • રસીકરણ અભિયાનની જવાબદારી 'નેશનલ એક્સપર્ટ ગ્રુપ'ને આપવામાં આવી છે
  • ટેકનિકલ એક્સપર્ટ, કેન્દ્ર-રાજ્યના પ્રતિનિધિ નેશનલ એક્સપર્ટ ગ્રુપમાં હશે
  • રાષ્ટ્રીય અને સ્થાનિક જરૂરિયાત મુજબ નેશનલ એક્સપર્ટ ગ્રુપ તમામ નિર્ણયો લેશે

દેશમાં વકરતી કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી. કોરોના પર ચર્ચા મુદ્દે આજે સર્વદળીય બેઠક મળી. આ બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં થઇ રહી છે. બેઠકમાં કોરોના વેક્સિન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બેઠકમાં હાજર છે. સંસદીય મંત્રી પ્રહલાદ જોષી અને રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ પણ બેઠકમાં સામેલ થશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી સર્વદળીય બેઠકમાં આ નેતાઓ સામેલ થયા છે. જેમાં બીજી જનતા દળના ચંદ્રશેખર સાહૂ, YSRCPથી વિજયસાઇ રેડી અને મિથુન રેડ્ડી, AIMIMમાંથી ઇમ્તિયાઝ ઝલીલ, શિવસેનામાંથી વિનાયક રાઉત, જેડીયુમાંથી આરસીપી સિંહ, કોંગ્રેસમાંથી અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ, ટીએમસીમાંથી સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ' બ્રાયન હાજર છે. 

જ્યારે AIADMKમાંથી નવનીત કૃષ્ણન, DMK માંથી TRK બાલૂ અને તિરુચિ શિવા, જેડીએસમાંથી એચડી દેવગૌડા, એનસીપીમાંથી શરદ પવાર, સમાજવાદી પાર્ટીમાંથી રામ ગોપાલયાદવ,  બસપામાંથી સતીશ મિશ્રા, રાષ્ટ્રિય જનતા જલમાંથી પ્રેમચંદ ગુપતા, ટીડીપીમાંથી જય ગુલ્લા, આપમાંથી સંજય સિંહ, ટીઆરએસમાંથી નાગેશ્વર રાવ, લોકજનશક્તિ પાર્ટીમાંથી ચિરાગ પાસવાન અને અકાલી દળમાંથી સુખબીર બાદલ ઉપસ્થિત રહ્યાં. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Meeting PM modi કોરોનાવાયરસ પીએમ મોદી સર્વદળીય બેઠક PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ