મહારાષ્ટ્રમાં અઘાડી સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કરાયેલ અરજીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વવાળી સરકારને બરતરફ કરી રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો નિર્દેશ કરવાની માગ કરવામાં આવી છે.
દિલ્હીમાં રહેતા વિક્રમ ગહલોત, ઋષભ જૈન અને ગૌતમ શર્મા દ્વારા દાખલકરવામાં આવેલ અરજીમાં જણાવામાં આવ્યું છે કે રાજ્યમાં સત્તારૂઢ રાજકીય દળો દ્વારા વહીવટી મશીનરીનો દુરુપયોગ કરી ન માત્ર અપરાધીઓને બચાવામાં આવી રહ્યા છે કે જ્યારે ગુનાહીત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.