બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણ આવતા પહેલા જ આ રીતે દૂર કરો તમારા વાસ્તુદોષને, ભોલેનાથજી વરસાવશે અપાર કૃપા

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / શ્રાવણ આવતા પહેલા જ આ રીતે દૂર કરો તમારા વાસ્તુદોષને, ભોલેનાથજી વરસાવશે અપાર કૃપા

Last Updated: 08:03 AM, 26 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે શ્રાવણ 2025ની શરૂઆત પહેલા શિવજીની કૃપા પામવા માંગો છો અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માંગો છો, તો તમારે કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ્સ અપનાવા જોઈએ. ચાલો જાણીએ કે શ્રાવણ પહેલા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ?

1/6

photoStories-logo

1. શ્રાવણ 2025 વાસ્તુ ટીપ્સ

શ્રાવણનો મહિનો શિવજીને અત્યંત પ્રિય છે. શ્રાવણ 2025ની શરૂઆત 11 જુલાઈ 2025 શુક્રવારથી થઈ રહી છે અને સમાપન 9 ઑગસ્ટ 2025 શનિવારે થશે. આ વખતના શ્રાવણમાં ચાર સોમવાર હશે. ધ્યાન આપો કે શ્રાવણ પહેલા ઘરને સ્વચ્છ અને પવિત્ર બનાવવું અગત્યનું છે. તો ચાલો જાણી લો કે શ્રાવણ પહેલા શું કરવું જોઈએ જેથી ઘરથી વાસ્તુ દોષ દૂર થાય અને ઘરના દરેક ખૂણે સકારાત્મકતા ફેલાય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઘર સાફ કરો

જો તમારે તમારા ઘરના વાસ્તુને યોગ્ય બનાવવું હોય તો શ્રાવણ પહેલા ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. પૂજાના સ્થાનને ખાસ કરીને સારી રીતે સાફ કરો. ગંગાજળ છાંટો અને ઘરની ધૂળ-માટીને દૂર કરો. સ્વચ્છ વાતાવરણમાં શિવજીની આરાધના કરો. આવું કરવાથી ઘરના વાસ્તુ પર સકારાત્મક અસર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દારૂ, સિગારેટને કરો ઘરની બહાર

જો તમારા ઘરમાં દારૂ, સિગારેટ કે કોઈ પણ નશીલી વસ્તુ છે તો શ્રાવણના મહિનામાં એ વસ્તુઓને ઘરમાં ન રાખો, પણ શ્રાવણ પહેલા જ એ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી નાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લસણ-ડુંગળી અને માંસનું સેવન ન કરો

શ્રાવણ મહિને લસણ-ડુંગળી અને માંસ જેવા તામસિક ખોરાકનું સેવન કરવાથી ઘરની પવિત્રતા ભંગ થાય છે અને ઘરને વાસ્તુ દોષ ઘેરવા લાગે છે. પૂજાની સકારાત્મક અસર મળી શકે એ માટે શ્રાવણમાં આવી તામસિક વસ્તુઓથી દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ખંડિત મૂર્તિઓ ન રાખો

જો તમારા ઘરના મંદિરમાં દેવ-દેવીઓની તૂટી ગયેલી કે ખંડિત મૂર્તિ છે તો શ્રાવણ પહેલા જ તેને દૂર કરો. આ મૂર્તિઓને સન્માનપૂર્વક પીપળના વૃક્ષ નીચે મૂકી આવો અથવા જળમાં વિસર્જિત કરો. ઘરમા રાખવાથી ઘરના વાસ્તુ પર ખરાબ અસર પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shravan Month Lord Shiva Vastu Tips Before Shravan 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ