બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Pooja Khunti
Last Updated: 11:17 AM, 26 February 2024
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહનું રાશિ પરિવર્તન ગ્રહ ગોચર અને બીજા ગ્રહ સાથે મળવું એ યુતિ કહેવાય છે. એક મેથી ગુરુ, વૃષભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ સાથે શુક્ર પણ 19 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર થશે. 12 વર્ષ પછી ગુરુ અને શુક્ર એક જ રાશિમાં બિરાજમાન થશે. જેના કારણે ગજલક્ષ્મી રાજયોગ નિર્માણ થશે. જ્યારે ગુરુ અને શુક્ર એકબીજાના મધ્ય ભાવમાં અથવા પહેલા, ચોથા કે સાતમા ભાવમાં હોય છે ત્યારે ગજલક્ષ્મી યોગ નિર્માણ થાય છે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. ધન લાભ થવાની સંભાવના છે. આ રાશિના જાતકોને કારકિર્દીમાં અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. જાણો આ રાશિના જાતકો વિશે.
મેષ રાશિ
ગુરુ અને શુક્ર ગ્રહની યુતિને કારણે ગજલક્ષ્મી રાજયોગ નિર્માણ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો જરૂરી નિર્ણય લઈ શકે છે. તમને જ્ઞાન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારી દરેક ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. મોટા લોકો સાથે સંબંધ બનશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમને આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. લગ્ન થયેલા લોકોનું લગ્ન જીવન સારું રહેશે.
વાંચવા જેવું: ટોઇલેટમાં ફોન લઈ જવાની ટેવ હોય તો આજે જ છોડો! સાથ નહીં આપે ભાગ્ય, થઈ જશો કંગાળ
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ અનુકૂળ રહેશે. તમારી આવકમાં સારો એવો વધારો જોવા મળશે. તમારા જીવનના દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે કામને લઈને પ્રવાસ પર જવાનો યોગ બની રહ્યો છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી પણ મળી શકે છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ છે. તેમને લાભ થવાની સંભાવનાઓ છે. સામાજિક અને ધાર્મિક કામ કરવાથી તમારા માન-સમ્માનમાં વૃદ્ધિ જોવા મળશે. આ સાથે જમીન અને વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ