સરકાર દ્વારા વાયુ વાવાઝોડાના પગલે સાબદુ બન્યુ છે. પણ નવાઈની વાત એ છે કે કચ્છના દરિયાકાંઠાથી માત્ર બે કિલોમીટરના અંતરે જ આવેલા કાઠડા ગામમાં હજુ સુધી તંત્ર પહોંચ્યુ નથી. ત્યારે વીટીવીએ આ ગામની ખાસ મુલાકાત લીધી અને લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો તો જે સામે આવ્યું તે પણ વાત નવાઈ પમાડે તેવી છે.. ગ્રામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, ગામના લોકો સારી રીતે જાણે છે કે વાયુ વાવાઝોડુ ત્રાટકવા જઈ રહ્યું છે પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગામના લોકોને વાયુ વાવાઝોડાની સંભવતાના પગલે પણ કોઈ સૂચના આપવામાં આવી નથી. ગ્રામજનો પણ વાવાઝોડાની ગંભીર અસરથી બેખબર છે. આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં.