બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'પાટીદારોનું બંધારણ બનવું જોઈએ' પાટીદાર અગ્રણી જેરામ વાંસજાળિયા આવ્યાં સમર્થનમાં
Last Updated: 10:14 PM, 15 January 2026
સુરતમાં રીતરિવાજ બદલવાના બંધારણ અંગે પાટીદાર અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પાટીદાર અગ્રણી અને પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજનું સમર્થન માંગ્યું હતું. કડવા અને લેવા પાટીદાર અગ્રણીઓ સમાજમાં રીત રિવાજ બદલવાના સમર્થનમાં છે. સુરતમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજની વાડીના ભૂમિ પૂજનમાં અગ્રણીઓએ સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
રીતરિવાજ બદલાવના બંધારણને લાવવું ખૂબ જરૂરિ છે : જેરામભાઈ વાંસજાળીયા
ADVERTISEMENT
શ્રી ઉમિયા ધામ માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ અને પાટીદાર અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાએ નિવેદન આપ્યું છે. રીતરિવાજ બદલાવના બંધારણને લાવવું ખૂબ જરૂરી છે. અત્યારે પાટીદાર સમાજનો વિકાસ સારો થયો છે વિકાસ જળવાઈ રહે તેના જરૂરી છે. દીકરા-દીકરીમાં સસ્કારનું સિંચન થાય અને મોટા ખર્ચા કરતાં અટકે, બંધારણ બનવા માટે આખી એક સમિતિ અને કમિટી બનશે. કમિટીના પાસા અને વિચારોના આધારે આગળ વધશું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી, સમાધાન માટે બોલાવીને ખેલ્યો ખૂની ખેલ
ADVERTISEMENT
બંધારણ ઘડવું જરૂરી છે પણ બધા સહમત થાય તો : ભગવાનદાસ સવસાણી
સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ સુરતના પ્રમુખ ભગવાનદાસ સવસાણીએ સમર્થન આપ્યું છે. મથુર સવાણીએ બંધારણનું એલાન કર્યું છે પણ હજી સમાજના વ્યુ લેવામાં આવી રહ્યા છે. સમાજ નક્કી કરશે તો આગળ બંધારણ નક્કી કરીશું. બંધારણ ઘડવું જરૂરી છે પણ બધા સહમત થાય તો હવે પાટીદાર સમાજના રીતરિવાજમાં પણ બદલાવ આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.