બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Parshotam Rupala made a statement as soon as he returned from Delhi
Priyakant
Last Updated: 02:47 PM, 4 April 2024
Parshottam Rupala Statement : લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024) પહેલા ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિવાદિત નિવેદન બાદ વિવાદ થયો છે. આ તરફ હવે દિલ્હીથી પરત ફરેલા પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)નું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ કહ્યું કે, હું કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો. આ તરફ પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળ્યું હતું. આ સાથે ઉમેર્યું કે, ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઇ છે ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી.
રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) દિલ્લીથી પરત ફર્યા છે. દિલ્હીથી પરત ફરેલ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલવાનું ટાળી કહ્યું છે કે, તમામ સમાજનું મારા સાથે સમર્થન છે. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઈ અને ક્ષત્રિય સમાજ વિશે હવે કઈ કહેવાનું નથી. આ સાથે તેમણે ઉમેર્યું છે કે, કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો.
વડોદરામાં રુપાલાના સમર્થનમાં પાટીદારોની બેઠક
પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગઇકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની જ માંગ કરી છે. આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે, પરષોત્તમ રૂપાલા રુપાલા વડોદરાથી ચૂંટ(ણી Lok Sabha Election 2024) લડશે. આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં પાટીદાર સમાજના આગેવાનો ચૂંટણી સંબધિત ચર્ચા કરી શકે છે.
રાજકોટમાં પણ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)ના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે તેવા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાનાર છે. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક કરશે.
નોંધનીય છે કે, પરષોત્તમ રૂપાલા વિવાદને કઈ ગઇકાલે ભાજપનાં ક્ષત્રિય નેતાઓ તેમજ ક્ષત્રિય સમાજની કોર કમિટીનિ બેઠક મળી હતી. આ બેઠકમાં બાદ ભૂપેન્દ્ર ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી. જેમાં ભૂપેન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજે તરત જ અમે બેઠક બોલાવી હતી. તેમજ આ બેઠકમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીનાં સભ્યો હાજર હતા. તેમજ મે કોર કમિટી સમક્ષ વાત કરી છે. 3-3 વખત માફી માંગવામાં આવી હતી. ત્યારે આ બાબતે પાર્ટી વિચાર કરશે. તેમજ પરષોત્તમ રૂપાલાએ અનેક વખત માફી માંગી છે. પણ હજુ નિરાકરણ આવ્યું નથી. અમે પાર્ટીને અમારી વાત કરીશું. ત્યારે બાદ પાર્ટી નિર્ણય કરશે. તેમજ બીજી બેઠક નહી થાય.
પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવા પરષોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા
ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈ જ્યોતિ ટિલવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે. પરષોત્તમ રૂપાલાના વિરોધને લઈ કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા છે. ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ મેસેજ વાયરલ કર્યો હતો. જેમાં તેઓએ કહ્યું કે બે-બે વાર માફી માંગ્યા પછી આટલો ઈશ્યું કરે તે વ્યાજબી ના કહેવાય. ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપો. પોસ્ટને લઈ પાટીદાર યુવકોએ પરષોત્તમ રૂપાલાની તરફેણમાં કોમેન્ટસ લખી હતી.
વધુ વાંચો : વડોદરાવાસીઓ માટે સારા સમાચાર, સિટી બસના ભાડામાં નહીં થાય વધારો
જાણો શું છે સમગ્ર મામલો ?
લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ