બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Palanpur Ambulance Traffic Stall Heart Attack Patient death
Last Updated: 12:07 PM, 13 March 2024
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દર્દી માટે જીવલેણ બની છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં અડધો કલાક એમ્બ્યુલન્સ અટવાતા હાર્ટએટેકના દર્દીનું મોત નીપજ્યું છે. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ બીજા રસ્તા પર પણ ટ્રાફિકમાં અટવાતા દર્દી ચૌપારામ ચૌહાણનું મોત નીપજ્યુ છે. આ દર્દીને પરિવારજનો સારવાર માટે રાજસ્થાનથી પાલનપુર લઈ આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા દર્દીનો જીવ ગયો છે. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો.
ADVERTISEMENT
પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વર્ષોથી શહેરીજનોને સતાવી રહી છે. આ ટ્રાફિકની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. પાલનપુરમાં ટ્રાફિકને કારણે રાજસ્થાનના દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો છે. રાજસ્થાનના સનાવાડા ગામના ચૌપારામને હાર્ટ અટેક આવ્યો હતો. જેને કારણે રાજસ્થાનથી પરિવારજનો સારવાર માટે પાલનપુર લઇને આવી રહ્યા હતા આ દરમિયાન તેમની એમ્બ્યુલન્સ પાલનપુર હાઇવે પર ટ્રાફિકમાં ફસાઇ હતી. ડ્રાઇવર દ્વારા અન્ય કોઇ રસ્તાથી હોસ્પિટલ પહોચવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને જેમતેમ કરીને એમ્બ્યુલન્સ હાઇવે પરથી આગળ ચલાવી હતી પરંતુ હનુમાન ટેકરી વિસ્તારમાં ફરી આ એમ્બ્યુલન્સ અટવાઇ હતી. અડધો કલાક સુધી દર્દી સાથે એમ્બ્યુલન્સમાં અટવાઇ હતી જેને કારણે હાર્ટ એટેકના દર્દીને સારવાર મળી શકી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે દર્દીને બચાવવા અલગ રસ્તા પર એમ્બ્યુલન્સ ચલાવી પરંતુ ત્યાં પણ ટ્રાફિકમાં અટવાતા આખરે દર્દી ચૌપારામ ચૌહાણને સમયસર હોસ્પિટલ સુધી પહોચાડી શકાયા ન હતા. હોસ્પિટલ પહોંચતા જ તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોના પગ નીચેથી ધરતી સરકી ગઇ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાલનપુરમાં હાઇવે પર થતી ટ્રાફિકની સમસ્યાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. અહીથી અમદાવાદ અને દિલ્હીને જોડતો હાઇવે પસાર થઇ રહ્યો છે જે સતત ભારે વાહનોથી ધમધમતો રહે છે ઉપરાંત સ્થાનિક વાહનોની અવર જવર પણ વધુ રહે છે. જેને લઇને હાઇવે પર ચોવિસ કલાક ટ્રાફિક હોય છે. આ ટ્રાફિકમાંથી નીકળવું મુશ્કેલ બને છે. વાહનચાલકો કલાકો સુધી અટવાયેલા રહે છે. જેને લઇને રહીશો દ્વારા અનેકવાર આ ટ્રાફિક સમસ્યાનો કોઇ ઉકેલ લાવવા રજુઆતો કરી છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પાલનપુર શહેરના તમામ સર્કલો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ટ્રાફિકના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે. ઓફિસ સમયે ટ્રાફિકજામથી કર્મચારીઓ હેરાન થઇ રહ્યા છે. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરની ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી.
ADVERTISEMENT
આરટીઓ સર્કલ, ગઠાંમણ સર્કલ, હનુમાન ટેકરી, એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહનચાલકો તેમજ રાહદારીઓ, શહેરીજનો અને નાગરિકોને સતાવી રહી છે. ઇમરજન્સીના સમયે શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે અને ઓફિસના સમયે કર્મચારીઓઓને ટ્રાફિકજામથી હેરાન થવાનો વારો આવે છે. કારણ કે જે ભારે વાહનો પાલનપુર હાઇવે પરથી પસાર થાય છે અને આ ભારે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.