બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ
અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે
VTV / ગુજરાત / સુરત / 'જે પણ થયું તે મારા સિદ્ધાંત વિરુદ્ધનું થયું' ધાર્મિક-અલ્પેશના ભાજપમાં જોડાવાને લઇ કુમાર કાનાણીનું નિવેદન
Last Updated: 12:47 PM, 30 April 2024
લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરતનાં બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપનાં ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ભાજપનાં વરાછાનાં ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું હતું. એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમજ અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાનાં ભાજપમાં જોડાવાથી કાનાણી નારાજ છે. અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વરાછાનાં ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી ધારાસભ્ય અળગા રહેતા ગણગણાટ વધ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા.
આ સમગ્ર બાબતે કિશોર કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. ચૂટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રહ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરીયા સામ સામે હતા. હું મારા સિદ્ધાંતો નહી છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતનાં ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહેતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT