બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ગુજરાત / સુરત / 'જે પણ થયું તે મારા સિદ્ધાંત વિરુદ્ધનું થયું' ધાર્મિક-અલ્પેશના ભાજપમાં જોડાવાને લઇ કુમાર કાનાણીનું નિવેદન

લોકસભા ચૂંટણી 2024 / 'જે પણ થયું તે મારા સિદ્ધાંત વિરુદ્ધનું થયું' ધાર્મિક-અલ્પેશના ભાજપમાં જોડાવાને લઇ કુમાર કાનાણીનું નિવેદન

Last Updated: 12:47 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ પાટીદાર અનામત આંદોલનનાં પ્રણેતા બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાયા છે. બંને યુવા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ સુરતનાં ભાજપનાં ધારાસભ્યમાં નારાજગી જોવા મલી રહી છે. જે બાબતે ધારાસભ્યએ કહ્યું હતું કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું દૂર રહ્યો. હું મારા સિદ્ધાંત નહિ છોડું.

લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતી મેળો જામતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરતનાં બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બંને યુવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાતા ભાજપનાં ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ભાજપનાં વરાછાનાં ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું હતું. એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે.

વરાછાનાં ધારાસભ્ય હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

તેમજ અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાનાં ભાજપમાં જોડાવાથી કાનાણી નારાજ છે. અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. વરાછાનાં ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી ધારાસભ્ય અળગા રહેતા ગણગણાટ વધ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા.

વધુ વાંચોઃ પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો

હું મારા સિદ્ધાંત નહિ છોડું : કુમારભાઈ

આ સમગ્ર બાબતે કિશોર કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હતો. ચૂટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રહ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરીયા સામ સામે હતા. હું મારા સિદ્ધાંતો નહી છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતનાં ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા હતા. ભાજપનાં ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહેતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ