પાકિસ્તાનમાં ગુરૂવારે (31 ઓક્ટોબર)ના રોજ એક ટ્રેનમાં આગ લાગવાના કારણે 76 લોકોના મોત થઇ ગયા જ્યારે કેટલાક અન્ય લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. ટ્રેનમાં એક પ્રવાસી દ્વારા લઇ જવામાં આવેલ ગેસ સિલિન્ડરમાં થયેલ વિસ્ફોટના કારણે આગ લાગી હતી. તેજગામ નામની આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની. આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના રેલમંત્રી શેખ રશિદ અહમદે નિવેદન આપ્યું જેના કારણે તેઓ ટ્રોલ્સના નિશાને આવી ગયા.
આગ એક સિલિન્ડર વિસ્ફોટના કારણે લાગી હતી
રેલમંત્રી શેખ રશિદ અહમદે નિવેદન આપ્યું જેના કારણે ટ્રોલ થયા
એક યૂઝરે કહ્યું નાસ્તામાં અડધું પાંઉ અડધો બોમ્બ હશે જે ફાટી ગયો
તેમણે મીડિયા સાથે વાતચીતમાં આગ લાગવાનું કારણ નાસ્તો ગણાવ્યું. તેમણે કહ્યું કે નાસ્તો ફાટવાથી લોકો માર્યા ગયા. નાસ્તો ફાટવાથી ચૂલો ફાટી ગયો. તેમણે કહ્યું જ્યારે નાસ્તામાં આગ લાગી તો ત્યારબાદ નાસ્તો ફોટી ગયો. ત્યાર બાદ બે સિલિન્ડર અને ચૂલા ફાટી ગયા જેવામાં આગ ફેલાઇ હતી.
પરમાણુ હુમલાની ધમકી આપનાર પાક. મંત્રીના આ નિવેદન પર ટ્વીટર યૂઝર ભારે મજા લઇ રહ્યા છે. એક યૂઝરે કહ્યું પાકિસ્તાની મંત્રી એવા નિવેદન આપે છે. નાસ્તામાં આગ લાગી અને નાસ્તો ફાટ્યો અને સિલિન્ડર બચી ગયા. એક યૂઝરે કહ્યું નાસ્તામાં અડધું પાંઉ અડધો બોમ્બ હશે જે ફાટી ગયો.
એક યૂઝર કહે છે કે એમને ત્યાં બોમ્બ ફાટવા સિવાય હવે નાસ્તા પણ ફાટવા લાગ્યા. એક યૂઝરે કહ્યું કે અહીં કંઇને કંઇક ફાટતું રહે છે. હવે 100 ગ્રામનો 200 ગ્રામનો નાસ્તો હતો જે ફાટ્યો.
જણાવી દઇએ કે આગ એક સિલિન્ડર વિસ્ફોટના કારણે લાગી હતી, જ્યારે સવારે મુસાફર નાના ગેસ સિલિન્ડર પર પોતાના નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા. જેવા જ ટ્રેનમાં આગ ફેલાઇ તો મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ. કેટલાક લોકોએ ટ્રેનથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો તો કોઇ આ પ્રયત્નોમાં પોતાનો જીવ દઇ બેઠા.
જણાવાય રહ્યો છું કે મરનારાઓમાં વધુ પડતા એ જ લોકો છે જે ચાલતી ટ્રેનથી નીચે કૂદીને પોતાનો જીવ બચાવવા માંગતા હતા. જણાવાય રહ્યું છે કે ટ્રેનની ગતિના કારણે આગ ઝડપથી ફેલાઇ. જોકે ટ્રેનમાં ચૂલા પર જમવાનું પકાવવું ગેર કાયદેસર છે.