બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આ બોરોનની બલા શું છે? બોરોન ભરેલું વિમાન પાકિસ્તાન કેમ આવ્યું? હેરત અંગેજ કામ કરે છે

ઓપરેશન સિંદૂર / આ બોરોનની બલા શું છે? બોરોન ભરેલું વિમાન પાકિસ્તાન કેમ આવ્યું? હેરત અંગેજ કામ કરે છે

Last Updated: 09:24 AM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના હુમલા વખતે પાકિસ્તાનના કોઈ પણ પરમાણુ સાઈટ પરથી રેડિએશન લીક થયું નથી તેવા સત્તાવાર એલાન બાદ બોરોન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.

ઈન્ડિયન એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનમાં સરગોધા એરબેઝથી 10 કિલોમીટર દૂર આવેલી કિરાના હિલ્સ પર રાખવામાં આવેલા પરમાણુ હથિયારોમાંથી રેડિએશન લીક થયું હતું તેવા દાવા થયા હતા અને બીજો દાવો એવો પણ હતો કે એક બોરોન ભરેલું વિમાન પાકિસ્તાન આવ્યું હતું.

શું કામ કરે છે બોરોન

આ બોરોન એક કાળો પદાર્થ છે જે અણુ લિકેજ કે પરમાણુ બોંબમાંથી થતું રેડિએશન લીક રોકી નાખે છે, રેડિએશનને આગળ વધતું અટકાવતું નથી. દાવા અનુસાર, ઈજિપ્તનું એક પ્લેન બોરોન લઈને પાકિસ્તાન આવ્યું હતું જેનો ઉદ્દેશ રેડિએશન લીકેજ અટકાવાનો હોઈ શકે.

શું થયો હતો દાવો

સરગોધા એરબેઝથી થોડે દૂર આવેલી કિરાના હિલ્સમાં પાકિસ્તાને તેના પરમાણુ હથિયારો (અણુ બોમ્બ) સાચવી રાખ્યાં છે પરંતુ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરી તેમાં સરગોધા એરબેઝ પણ સામેલ હતું એટલે હવે સોશિયલ મીડિયામાં એવી ચર્ચા છે કે ભારતીય હવાઈ હુમલા બાદ કિરાના હિલ્સ પરમાણુ સાઈટમાંથી અણુ રેડિએશન લીક થયું હોવાનું જાણમાં આવતાં પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ તાબડતોબ ભારત સાથે યુદ્ધવિરામ કરાવી દીધો હતો. નહીંતર મોટી ખુવારી શકેત. જોકે ભારતે સ્પસ્ટ રીતે ઈન્કાર કર્યો છે કે તેણે કિરાના હિલ્સ પર કોઈ એટેક કર્યો હશે. બીજી બાજુ કેટલીક સેટેલાઈટ તસવીરો પણ સામે આવી છે જે દર્શાવે છે કે હવાઈ હુમલામાં પરમાણુ સાઈટના ગેટને નુકશાન થયું હતું.

શું છે કિરાણા હિલ્સ

પાકિસ્તાનના સરગોધા જિલ્લામાં સ્થિત, કિરાના હિલ્સ એક વિશાળ ખડકાળ પર્વતમાળા છે અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય હેઠળ એક નિયુક્ત વિસ્તાર છે. તેના ભૂરા રંગના ભૂપ્રદેશને કારણે તેને ઘણીવાર "કાળા પર્વતો" તરીકે ઓળખવામાં આવે છે, તે રબવાહ ટાઉનશીપ અને સરગોધા શહેર વચ્ચે ફેલાયેલો છે, જે મુશફ એરફોર્સ બેઝનો ભાગ છે. મુશફ એ એરબેઝમાંથી એક છે જેના પર ભારતે અગાઉ હુમલો કર્યો હતો - તે પાકિસ્તાન વાયુસેનાનું કમાન્ડ હેડક્વાર્ટર છે અને F-16, JF-16 ના વિવિધ સ્ક્વોડ્રનનું ઘર છે. રિપોર્ટ અનુસાર કિરાણા હિલ્સમાં 10 થી વધુ ભૂગર્ભ ટનલ છે, અને વ્યાપક અટકળો મુજબ આ ટનલનો ઉપયોગ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના સંગ્રહ માટે થાય છે. વધુમાં, તે મુખ્ય લશ્કરી સ્થાપનોની ખૂબ નજીક સ્થિત છે, જેમાં ફક્ત 20 કિમી દૂર સ્થિત સરગોધા એર બેઝ અને ખુશાબ પરમાણુ સંકુલ (લગભગ 75 કિમી દૂર)નો સમાવેશ થાય છે.

વધુ વાંચો : હવે ખબર પડી! ઓપરેશન સિંદૂર વખતે આ કામ પણ થયું હતું, સૂત્રોનો મોટો દાવો, માન્યામાં નહીં આવે

પરમાણુ સાઈટ પર એટેક, ભારતે કર્યો ઈન્કાર

સોમવારે જ્યારે એક પત્રકારે પ્રેસ બ્રીફિંગમાં IAF અધિકારીને આ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે આ રસ વધુ વધ્યો. પત્રકારે પોતાના પ્રશ્નમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારતે સરગોધામાં મુશફ એરબેઝ પર હુમલો કર્યો હતો, જે કિરાના હિલ્સ નીચે ભૂગર્ભ પરમાણુ સંગ્રહ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે, જેમાં ગોળાકાર અને ઘૂસણખોરી કરતા દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, એર માર્શલ એકે ભારતીએ આ દાવાઓને નકારી કાઢતા કહ્યું, "કિરાણા હિલ્સમાં કેટલાક પરમાણુ સ્થાપનો છે તે કહેવા બદલ આભાર. અમને તેના વિશે ખબર નહોતી. અને અમે કિરાણા હિલ્સ પર હુમલો કર્યો નથી, ત્યાં જે કંઈ છે તે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Sindoor news boron news Operation Sindoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ