બ્રેકિંગ ન્યુઝ
VTV / one nation one ration card reform to benefit migratory population
ADVERTISEMENT
આ રીતે તમને ફાયદો થશે
આ સિસ્ટમ અંતર્ગત રેશનકાર્ડ ધારકો પોતાનો રેશનની દેશમાં ક્યાંય પણ રેશનની દુકાનમાંથી મેળવી શકશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ રાજ્યોને ખર્ચ વિભાગ દ્વારા, 37,6૦૦ કરોડના વધારાના ઉધારની મંજૂરી આપવામાં આવી છે. વન નેશન વન રેશનકાર્ડ એટલે કે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ સિસ્ટમનો અમલ, રાષ્ટ્રીય ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને સ્થળાંતર કામદારો અને તેમના પરિવારો માટે, દેશમાં ક્યાંય પણ વાજબી ભાવોની દુકાનો (એફપીએસ) ની ઉપલબ્ધતા લાભાર્થીઓને રેશનની ખાતરી આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ લોકોને થશે સૌથી વધુ લાભ
આ સુધારાઓ ખાસ કરીને મજૂરો, દૈનિક ભથ્થું કામદારો, સફાઇ કર્માચારી, શેરી કામદારો, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં કામચલાઉ કામદારો, ઘરનાં કામદારો વગેરેની સલામતીની બાબતમાં સ્થળાંતર કરેલી વસ્તીને સશક્ત બનાવે છે. જેઓ પોતાના મૂળ રાજ્યથી બીજા રાજ્યોમાં જાય છે.
ADVERTISEMENT
મે મહિનામાં વધારવામાં આવી હતી ઉધાર મર્યાદા
આ પ્રોદ્યોગિકી ચલિત સુધાર પ્રવાસી લાભાર્થીઓને દેશમાં ક્યાંયથી પણ પોતાની પંસદગીનું ઇલેક્ટ્રોનિક મૂલ્યના વેચાણથી ખાદ્યઅન્નનો ક્વોટા મેળવવા માટે સક્ષમ બનાવે છે. કોવિડ-19 મહામારી બાદ ઉભા થયેલ પડકારોને પહોંચી વળવા માટે સંસાધનની આવશ્યકતાના ધ્યાને લઈને ભારત સરકારે 17 મે 2020ના રોજ રાજ્યોની ઉધાર મર્યાદા તેમની GSDPના આધારે 2 ટકા સુધીની વધારી દીધી છે.
ADVERTISEMENT
શું છે એક દેશ એક રેશનકાર્ડ યોજના ?
મોદી સરકારની આ યોજનાથી લાભાર્થી દેશના કોઇપણ હિસ્સામાં જઈને રેશન ડીલર પાસેથી કાર્ડ પર રાશન મેળવી શકે છે. લાભાર્થીએ પોતાનું જુનુ કાર્ડ જમા કરાવવાનું રહેશે નહીં અને જુનાની જગ્યાએ નવું મેળવી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.